સામાન્ય રીતે નારિયેળ પાણીના ફાયદા વિશે તમે જાણકાર હશો. પરંતુ શું તમને ખબર છે કે નારિયેળ પાણીમાં કેટલાય એવા પણ ગુણ છે જે તમારી સુંદરતામાં વધારો થઇ જશે.
વાળ માટે નારિયેળ કોઇ જાદુથી ઓછુ નથી, તે વાળની અનેક સમસ્યાઓને દૂર કરે છે. તમને જણાવીએ નારિયેળ પાણી અને તેલના કેટલાક એવા પ્રયોગ અંગે જણાવીશું જેનાથી તમારા વાળની સુંદરતા અનેકગણી વધી જશે.
- નારિયેળ તમારા વાળને હાઇડ્રેટ રાખે છે અને સ્કાલ્પને પોષણ આપે છે. આ બ્લડ સર્કૂયલેશન વધારવામાં મદદ કરે છે. લગભગ અડધો કપ નારિયેળ પાણી લો અને સ્કાલ્પમાં મસાજ કરો. 5 મિનિટ સુધઈ મસાજ કરો અને પછી 20 મિનિટ સુધી વાળને એમ જ રહેવા દો ત્યાર પછી શેમ્પૂ કરી લો. સપ્તાહમાં 3 વખત આ ઉપાય કરો.
- અડધો કપ નારિયેળ પાણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવો. સ્કાલ્પ પર તેનાથી મસાજ કરો અને બાકી બચેલા પાણીને વાળ પર લગાવી દો. 15 મિનિટ સુધી રાખ્યા પછી શેમ્પૂ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરી લો. જ્યાં નારિયેળ તમારા વાળ હાઇડ્રેટેડ રહેશે તો બીજી તરફ લીંબુથી કોલેજન પ્રોડક્શન વધશે. જેનાથી વાળ લાંબા કરશે, તો સ્કાલ્પનું ph બેલેન્સ પણ જળવાશે.
- 2 ચમચી એલોવેરા જ્યૂસને અડધા કપ નારિયેળમાં મિક્સ કરો અને એક સ્પે બોટલમાં ભરી વાળ પર સપ્રમાણ છાંટો. આ મિક્સરને વાળ પર લગાવીને 4 દિવસ સુધી એમ જ રાખી શકો છો.
- એક કપ નારિયેળમાં એક ચમચી એપલ સાઇડ વિનેગર ભેળવો. આ મિક્સરને થોડી વાર માટે વાળમાં લગાવો અને પછી શેમ્પૂ કરો. આ એક સારું કન્ડિશન સાબિત થશે. આનાથી ડ્રાઇનેસ, વાળનો મેલ, ખોળો જેવા સમસ્યાઓથી છૂટકારો મળશે અને સ્કાલ્પનું PH પણ જળવાઇ રહેશે.