રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ 26 જાન્યુઆરીએ લક્ષ્મીનગર અંડરબ્રીજ ખુલ્લો મુકવાના છે. જેને લઇને શહેરીજનોને પાણીમાં ફસાવવું પડશે નહીં.
રાજકોટ વાસીઓને મુખ્યમંત્રીની ભેટ
26 જાન્યુઆરીએ લક્ષ્મીનગર અંડરબ્રીજને CM મુકશે ખુલ્લો
શહેરીજનોને ચોમાસાના પાણીમાંથી મળશે છૂટકારો
રાજકોટ વાસીઓને મુખ્યમંત્રીની ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26 જાન્યુઆરીએ લક્ષ્મીનગર અંડરબ્રીજ ખુલ્લો મુકવાના છે. જેને લઇને શહેરીજનોને પાણીમાં ફસાવવું પડશે નહીં. આ બ્રીજનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું અને જેને લઈને દરરોજ હજારો લોકો નાળામાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. મહત્વનું છે કે, સામાન્ય વરસાદમાં અહીં પાણી ભરાતું હતું.
આમ ત્રણ વર્ષ બાદ 26 જાન્યુઆરીએ શહેરીજનો માટે લક્ષ્મીનગર અંડરબ્રીજ ખુલ્લો મુકાશે. આ અંડરબ્રીજ ખુલ્લો મુકાવાથી દર ચોમાસામાં નાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને જે સમસ્યા થતી હતી તે હવે દૂર થશે. ઉલ્લેખનીય છે કે, 3 વર્ષથી આ બ્રીજનું કામ ચાલતું હતું અને હવે આ બ્રીજ તૈયાર થઈ ગયો છે. આમ અંડરબ્રીજ ખુલ્લો મુકાતા મહદઅંશે રાજકોટવાસીઓની પરેશાનીનો આવશે ઉકેલ આવશે.