ગુજરાતમાં દેશના સૌ પ્રથમ ડાયનાસોર પાર્ક અને તેના મ્યુઝિયમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કરાવ્યો છે. મહિસાગરના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનોસર પાર્કનુ સીએમ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ છે. જેમાાં વાસણ આહીર, જવાહર ચાવડા સહિતના મંત્રીઓ હાજરી હાજર રહ્યા હતા.
આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ 6 જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરવામાં આવી છે. જેમા પ્રવાસીઓને ડાયનોસોરનો ઈતિહાસ, જીવન પધ્ધતિ અને વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો તેની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલમ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે.
મહત્વનુ છે કે, 1983 અને ત્યારબાદ 2003માં જે ઈંડા અને ડાયનોસોરના વિવિધ ભાગોના હાડકા મળ્યા હતા તેને પાણ આ પાર્કમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે, બાલાસિનોરથી 11 કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રૈયોલી ગામમાંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. ડાયનાસોરના અવશેષો મળ્યા બાદ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો આ ડાયનાસોર ફોસિયલ પાર્કનો અંદાજિત વાર્ષિક ખર્ચ 6.5 કરોડ માનવમાં આવી રહ્યો છે.
અગાઉ 2003માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ-નર્મદાના રાજા' એવું નામ રાખવામાં આવ્યું હતું, એના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂછડીના હાડકાનો સમાવેશ થાય છે.