સુપ્રીમ કોર્ટમાં આજે પરમબીરસિંહની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓમાં વધારો થતો જણાઇ રહ્યો છે.
પરમબીરસિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરી છે અરજી
ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ
મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહ મંત્રી અનિલ દેશમુખ વચ્ચે મુલાકાત થઇ અને માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે વરિષ્ઠ પોલીસ અધિકારી રશ્મિ શુક્લાના રિપોર્ટને લઇને ચર્ચા કરવામાં આવી છે. ત્યારે પરમબીરસિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે એક અરજી કરી છે. જેમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે. પરમબીરસિંહે 100 કરોડની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે. દેશમુખે આ કામ સચિન વાજેને સોંપ્યું હોવાનો આરોપ એક પત્રમાં કર્યો હતો. જે બાદ પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને CBI તપાસની માગણી કરી છે.
રશ્મિ શુક્લાના રિપોર્ટ પર થઇ ચર્ચા!
મુખ્યમંત્રી અને દેશમુખની મીટિંગને લઇને પહેલા એવી ચર્ચા હતી કે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી વચ્ચે ડીજી સુબોધ જાયસવાલ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી પરંતુ બાદમાં સૂત્રોથી જાણ થઇ કે રશ્મિ શુક્લાના રિપોર્ટ પર ચર્ચા થઇ છે.
કહેવામાં આવ્યું છે કે, સરકારને ભ્રમિત કરીને ટૈપિંગ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ થર્ડ પાર્ટીની વાતચીત પર આધારિત છે અને ગૃહ મંત્રી સાથે સંબંધિત કર્મચારીઓની સાથે વાતની તપાસને લઇને કોઇ મજબૂત પુરાવા નથી. તે સમયે કોઈ ટ્રાન્સફર નહોતું કરવામાં આવ્યું જ્યારે કોરોના દરમિયાન ત્રીજી વખત વાતચીત થઇ.