ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કેટલાક રાજ્યોએ પોતાના બચાવ માટે પ્રતિબંધો શરૂ કરી દીધા છે.
સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં વધારો
કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ છેઃ શિવરાજસિંહ ચૌહાણ
ઓમિક્રોનથી ડરો નહીં પણ સતર્કતા રાખોઃ કેજરીવાલ
મધ્યપ્રદેશમાં પણ કોવિડ પ્રોટોકૉલના પાલનને લઇને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોને ખુબ જ સતર્ક રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ છે, એનો મુકાબલો જનસહયોગથી કરવાનો છે. તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ ખુબજ સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 124 કેસ નોંધાયા છે. સૌથી વધુ વસ્તી વાળા ઇન્દોર શહેરમાં 62 કેસ નોંધાયા છે. ત્યારબાદ ભોપાલમાં એક જ દિવસમાં 27 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા ખતરાને જોતા દેશભરમાં સતર્કતા વરતવામાં આવી રહી છે.
कोविड महामारी एक बार फिर से आ गई है। हमें मुकाबला करना है, तीसरी लहर आ गई है। मामले दुनिया में, देश में और म.प्र. में भी तेज़ी से बढ़ रहे हैं: क्राइसिस मैनेजमेंट कमेटी के साथ कोविड स्थिति पर एक बैठक के दौरान मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान #COVID19pic.twitter.com/KQrzdXSywD
દિલ્હીમાં ઓમિક્રોનના વધતા સંક્રમણની વચ્ચે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ઓમિક્રોનના કેસ રફ્તારથી વધી રહ્યા છે. રોજના 2500થી 3000 ઓમિક્રોનના કેસ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવી રહ્યું છે કે, લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે દર્દીઓને હોસ્પીટલ જવાની જરૂર નથી પડી રહી ઘરે જ દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે.
સાથે જ તેમણે કહ્યું કે આરોગ્યની તમામ સુવિધાઓ હોસ્પીટલ્સમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. હાલ, આરોગ્ય કેન્દ્રોમાં 3700 બેડ ઉપલબ્ધ હોવાની જાણકારી પણ કેજરીવાલે આપી છે. કેજરીવાલે જણાવ્યું કે સતત સંક્રમણ વધી રહ્યું છે પણ નવા દર્દીઓમાં કોરોનાના લક્ષણો ખુબજ સામાન્ય છે. સામાન્ય શરદી ખાંસીની સમસ્યા દેખાઇ રહી છે તેનાથી ડર્યા વગર જ પોતાના ઘરે ઇલાજ કરવાથી દર્દી સ્વસ્થ થઇ જશે. કેજરીવાલે દિલ્લીની જનતાને અપીલ કરી છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી બસ સાવધાની રાખો.