કચ્છમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂંકનો મામલે તુલ પકડી છે. આ મામલો હવે લોકલ કે રાજ્ય લેવલે ન રહેતા નેશનલ લેવલે ગાજી રહ્યો છે. આ મામલે નેશનલ કમિશન ફોર વુમન (NCW)એ પણ ઝંપલાવ્યું છે અને રાજ્યના પોલીસ વડા પાસે આ અંગે તપાસ કરી રિપોર્ટ માંગ્યા છે. ત્યારે CM રૂપાણીએ આ અંગે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂંક કરનાર સામે સ્ટ્રીક્ટ પગલા લેવામાં આવશે તેવી હૈયા ધારણ કરી છે.
કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂંક
સરકારે તપાસના આપ્યા આદેશ
કાર્યવાહીની CM રૂપાણીએ આપી ખાતરી
શું કહ્યું CM રૂપાણીએ?
કચ્છમાં વિદ્યાર્થીનિઓ સાથે ગેરવર્તણૂંકનો મામલાને જરૂર ગંભીરતાથી લેવામાં આવશે. ઘટના મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન બહાર આવ્યું છે. સરકાર આ મામલે ગંભીર છે.
તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક પગલાં લેવાશે. પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ છે.
સંસ્થા ઉપર લેવાઈ રહ્યા છે પગલા
નેશનલ કમિશન ફોર વુમન (NCW)એ ગુજરાત DGP શિવાનંદ ઝા પાસેથી તાત્કાલિક પગલા અંગનો રિપોર્ટ માગ્યો છે. શુક્રવારે NCWએ કહ્યું હતું કે, તેમણે સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણ પાંડોર અને પ્રિન્સિપાલ રીટા રાણીગા પાસેથી ખુલાસો માગ્યો છે. કમિશને ઘટના તેમજ ટ્રોમામાંથી પસાર થયેલી છોકરીઓની તપાસ માટે એક સમિતિ બનાવી છે. NCWના પ્રતિનિધિઓ ટૂંક સમયમાં ઈન્ટિસ્ટ્યૂટની મુલાકાત લેશે અને છોકરીઓ સાથે વાતચીત કરશે. ‘NCWએ કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર દર્શના ધોળકિયા અને ગુજરાત ડીજીપી શિવાનંદ ઝાને આ મામલાની સઘન તપાસ કરવા અને વહેલામાં વહેલી તકે તેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે’.
માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓનું કરાતુ હતું ચેકિંગ
શ્રી સહજાનંદ ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
ભવિષ્યમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવશેઃ કોલેજ સંચાલક
વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને હોસ્ટલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે એવી પણ ધમકી અપાઇ હતી કે આ પ્રકારે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઇને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઇ શકે છે. જેમને અભ્યાસ કરવો હોય તે એ કરે બાકીની વિદ્યાર્થીનીઓ ઘરે જઇ શકે છે. સાથે એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જે થાય તે કરી લેવાનું.