મુખ્યમંત્રી રૂપાણીએ મંત્રી યોગેશ પટેલ સાથે ચર્ચા કરી છે. વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતીને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ 40 મિનિટ સુધી ચર્ચા કરી છે.
CM રૂપાણીની મંત્રી યોગેશ પટેલ સાથે ચર્ચા
વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતીને લઇ કરી ચર્ચા
CM રૂપાણીએ 40 મિનિટ સુધી કરી ચર્ચા
વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા મહત્વના પગલા લેવાનો આદેશ કરવામા આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ મંત્રી યોગેશ પટેલ સાથે ચર્ચા કરી છે. વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતીને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ 40 મિનિટ સુધી ચર્ચા કરી છે. આ ચર્ચામાં મંત્રી સાથે ધારાસભ્યો પણ જોડાયા હતાં. આ બેઠકમાં CM રૂપાણીએ કેટલાક સૂચનો કર્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે વડોદરામાં કોરોના ટેસ્ટિંગ સેન્ટરો વધારવામાં આવે.
વડોદરામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી વધારાશે
વડોદરામાં ટેસ્ટિંગ સેન્ટર 59થી વધારી 150 કરાશે. વેક્સિનેશન 6 હજારથી વધારી 25 હજાર કરવા સૂચના આપવામાં આવી છે. સંજીવની રથની સંખ્યા 150થી વધારી 250 કરાશે. ખાનગી હોસ્પિટલોમાં નિયત ભાવનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરાના તમામ વોર્ડમાં ગાઇડલાઇનથી અવગત કરાશે. જરૂરિયાત મુજબ વડોદરા સિટીને ગ્રાન્ટ આપવાની પણ બાંહેધરી આપી છે.
વડોદરાના GIDC વિસ્તારમાં કોરોનાના કેસોનો બ્લાસ્ટ થયો છે. નંદેસરીના ઓદ્યોગિક એકમોમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. નામાંકિત કંપનીઓના કર્મીઓ બલ્કમાં કોરોના સંક્રમિત થયા છે. 400 જેટલા કર્મીઓ પોઝીટિવ આવતા ફફડાટ ફેલાયો થયો છે. દિપક નાઈટ્રેટ, સુદકેમી, કોરોમન્ડલમ કંપનીઓમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રણોલી GIDCની GACL કંપનીમાં કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે. પોઝિટિવ કર્મીઓને હાલ હોમ ક્વોરન્ટાઇન થયા છે.
વડોદરા શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વડોદરામાં દર 16 કેસોના ટેસ્ટિંગમાંથી એક કેસ પોઝિટીવ આવી રહ્યો છે. જે પહેલા 48 ટેસ્ટિંગ બાદ એક પોઝિટીવ આવતો હતો. ગઈકાલે 5512 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 354 કેસો આવ્યા હતા. આ નવા રેશિયોને લઈ ચોક્કસથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.