ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે અડધી રાતે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી, તેમજ હાલ પણ તે દિલ્હીમાં ચૂંટણીની રણનીતિ ઘડી રહ્યા છે.
ઉત્તરાખંડમાં આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત દિલ્હી મુલાકાતે
ગૃહમંત્રી અમિતશાહ સાથે ચૂંટણીની રણનિતી ઘડી
ઉત્તરાખંડના રાજનૈતિક માહોલમાં ચૂંટણીની તૈયારીઓ જોવા મળી રહી છે. તાજેતરમાંજ ઉત્તરાંખંડના સીએમ તીરથ સિંહ રાવતે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગૃહમંત્રી અમિતશાહના ઘરે અડધી રાતે રાખવામાં આવી હતી. જ્યા આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી.
ચૂંટણીને લઈને ચર્ચા
ખાસ કરીને આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને કેવી રણનીતી ધડવી જોઈએ તે મુદ્દે ચર્ચા કરવામાં આવી . જોકે આ બેઠકને લઈને મુખ્યમંત્રી રાવતને દિલ્હીમાં બોલાવામાં આવ્યા હતા. જ્યા બપોરના સમયે પહેલા તેઓ દિલ્હીના ઉત્તરાખંડ ભવનમાં પહોચ્યા હતા.
દિલ્હીના નેતાઓને મળશે તીરથ સિંહ રાવત
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત બાદ પણ તેઓ પરત ઉત્તરાખંડ પરત ક્યારે જશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું. કારણકે તેઓ હજુ દિલ્હીમાં અમુક નેતાઓને મળવાના છે. જેમની સાથે તેઓ આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરીને રણનીતી ઘડવાના છે.
બેઠકમાં મોટા અધિકારીઓ પણ શામેલ
ઉલ્લેખનીય છે કે આગામી 2022માં ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. જેને લઈને 27 થી 29 જૂન ભાજપના ચિંતન શિબિર પર પાર્ટી દ્વારા રણનીતી ઘડવામાં આવી છે. જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં મુખ્યમંત્રી રાવત સહિત મોટા અધિકારીઓ પણ શામેલ હતા.
ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ
જોકે આ બેઠક બાદ મુખ્યમંત્રી રાવતને દિલ્હી બોલાવામાં આવ્યા. જેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.