રાજકોટમાં આજે મુખ્યમંત્રી રૂપાણીએ સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કર્યો. જે કાર્યક્રમમાં તેમણે સૂર્યોદય યોજનાનો ઉલ્લેખ કરીને ખેડૂતોને હવે રાતના ઉજાગરા નતી કરવા પડતા તેનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કર્યો સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ
અનાથ બાળકોને 21 વર્ષ સુધી મળશે 4 હજારની સહાય
અમે સત્તા માટે નહી સેવા માટે કામ કરીએ છે :CM
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. જોકે જન્મદિવસેજ તેમણે રાજકોટની મુલાકાત લીધી જ્યા તેમણે સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. સેવાસેતું કાર્યક્રમમો પ્રારંભ કર્યા બાદ CMએ કહ્યું કે કે કોઈપણ રાજ્યનો વિકાસ તેની રાજકીય સ્થિરતા છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ગુજરાત રોલ મોડલ બની રહે તે દિશામાં સરકારે કામ કર્યા છે.
16 હજાર કરોડના વિકાસના કામ
મુખ્યમંત્રી રૂપાણીએ સૂર્યોદય યોજનાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેડૂતોના રાતના ઉજાગરા હટવવા માટે સરકાર દ્વારા સૂર્યોદય યોજના લાવવામાં લાવી. વધુંમાં તેમણે કહ્યું કે 16 હજાર કરોડના વિકાસના કામો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે 500 જગ્યાએ આજે સેવાસેતુનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે કટકી બંધ ઝશે તો લાભાર્થીને લાભ મળશે.
સેવા સેતુમાં કોરોડો લોકોએ લાભ લીધો
સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી એવું પણ બોલ્યા હતા કે અમે સરકાર ચલાવવા નહી પરંતુ દેશ ચલાવવા આવ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે તેઓ સત્તા માટે નહી પરંતુ સેવા માટે કામ કરે છે. સેવા સેતુમાં કરોડો લોકોએ લાભ લીધો છે પણ હવે ટેક્નોલોજીથી ઈ સેવા સેતુ પણ શરૂ થશે.
અનાથ બાળકોને સહાય
55 ગામડાઓમાં હાલ સેવાઓ બેઠા બેઠા મળી રહી છે સાથેજ ગામડામાં બેઠા બેઠા લોકો કેવડિયાનું બુકિંગ કરાવે છે તેમજ નકશા પાસ કરવવા પણ તેઓ ધક્કા ખાતા નથી. તે વાતનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. આજે મુખ્યમંત્રી દ્વારા બે યોજના જાહેર કરી જેમા જેના મા-બાપ ગુજરી ગયા હોય તે બાળકને 21 વર્ષ સુધી દર મહિને 4 હજાર રૂપિયા આપવામાં આવશે.
વિધવા અને દિવ્યાંગોને સહાય
તે સિવાય તેમણે સેવાસેતું કાર્યક્રમમાં 244 વિધવાઓને સહાય આપવામાં આવી જેમા સૂચિત સોસાયટીના મકાનની તેમને સનદ અપાઈ હકી. દિવ્યાંગોને ક્રમીલેયર સર્ટિફિકેટનું વિતરણ કરીને તેમને સહાય આપવામાં આવી અને રાજકોટના 3963 બાળકોના ખાતામાં 2 હાજર રૂપિયા નાખીને તેમને સહાય કરવામાં આવી હતી. સાથેજ રાજકોચ મનપા દ્વારા આજે 3 મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
રાજુલામાં સેવાસેતું કાર્યક્રમને લઈને વિવાદ
જોકે બિજી તરફ અમરેલીના રાજુલામાં સેવાસેતું કાર્યક્રમને લઈને વિવાદ પણ સર્જાયો છે. અહીયા નાયબ મામલતદારે અરજદાનો પ્રશ્નો સાંભળવાને બદલે નાસ્તો કર્યો હતો તેવું અરજદારોનું કહેવું છે જેથી અરજદારોએ આ મામલે સ્થાનિક ભાજપ આગેવાનોને રજૂઆત કરી છે. અરજદારો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. મામલતદારને તેઓ રજૂઆત કરે તે પહેલાજ તેમણે નીકળો એવો જવાબ આપ્યો હતો. જેથી તેમનામાં હાલ રોષનો માહોલ ફેલાયો છે.