પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલ વિખવાદને લઈ નવજોત સિંહ સિદ્ધુએ ચોંકવાનારો ખુલાસો કર્યો છે, તેમણે એવા સંકેત આપ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે.
આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું-સિદ્ધુ
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ કહી આ વાત
પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલ વિખવાદને લઈ નવજોત સિંહ સિદ્ધુએ ચોંકવાનારો ખુલાસો કર્યો છે, તેમણે એવા સંકેત આપ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે. સાથે જ અરવિંદ કેજરીવાલના નિવેદનથી પણ સમગ્ર કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. નવજોત સિદ્ધુએ AAP પાર્ટીના કામના વખાણ કરતાં અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે વિરોધીઓ પણ અમારા વખાણ કર્યા છે તે એ વાતની સાબિતી છે કે અમે સારું કામ કરી રહ્યા છે. અમારા વિઝન વિપક્ષ પણ સમજી રહ્યું છે.
નવજોત સિહ સિદ્ધુના આ નિવેદનથી પંજાબમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસથી નારાજ ગણાવાઈ રહેલા નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન ખૂબ સૂચક છે. સિદ્ધુએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું છે. આજે મેં જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.
અમરિન્દર સિંહ સાથેના રાજકીય વિવાદની વચ્ચે સિદ્ધુનું મોટું નિવેદન
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા માંગે છે તો અમરિન્દર સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી કે પંજાબ કોંગ્રેસના પ્રમુખ પણ બનવા દેવા માંગતા નથી.
કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે
કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતીની રચના કરીને વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ તો કરી છે પરંતુ સિદ્ધુ પોતાની વાતે અડગ હોવાની વાત કરી છે.