રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર જન આક્રોશ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રેલીને સંબોધિત કરવા વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા.
દિલ્હીના જંતર મંતર પર આપની જનઆક્રોશ રેલી
કેજરીવાલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
કશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપી
કાશ્મીરમાં ફરી એકવાર શરૂ થયેલા ટાર્ગેટ કિલિંગના કિસ્સાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. તેની સામે દેશમાં દરેક જગ્યાએ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર જન આક્રોશ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રેલીને સંબોધિત કરવા વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા.
કેજરીવાલ અને સિસોદિયાની સાથે પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, સંજય સિંહ અને અન્ય ધારાસભ્યોએ જન આક્રોશ રેલીમાં ભાગ લીધો હતો. તેઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સિસોદિયાએ કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો કે, આ ઘાટીના ઈતિહાસનો સૌથી ખરાબ તબક્કો માનવામાં આવશે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં કાશ્મીરમાં ગભરાટ અને આતંકનું વાતાવરણ છે.
BJP govt has failed in this. The era of 1990 has come again. They (Govt) don't have any plans. Whenever there is a murder in the valley, news comes that the Home Minister has called a high-level meeting, enough of these meetings, now we need action, Kashmir wants action: Delhi CM pic.twitter.com/ch2a1EFccf
તે જ સમયે વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા સીએમ કેજરીવાલે કહ્યું કે, કાશ્મીરમાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. 1990નું દાયકો ફરી પાછો આવ્યો છે. સરકાર પાસે કોઈ પ્લાન નથી. જ્યારે પણ ઘાટીમાં કોઈ હત્યા થાય છે, ત્યારે સમાચાર આવે છે કે ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકો પૂરતી છે, હવે આપણે પગલાં લેવાની જરૂર છે. કાશ્મીર કાર્યવાહી ઈચ્છે છે.
पिछले 30 साल में दो बार ऐसे मौक़े आए जब कश्मीरी पंडितों को कश्मीर से पलायन करने पर मजबूर होना पड़ा। और इन दोनों ही बार कश्मीर में बीजेपी का शासन था। इसका मतलब ये कि भाजपा से कश्मीर नहीं संभलता। pic.twitter.com/yCbIRkd3YY
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતો હત્યાનો વિરોધ કરવા માગે છે ત્યારે કાશ્મીરની વર્તમાન ભાજપ સરકાર તેમને વિરોધ કરવા દેતી નથી. જો સરકાર આવું વર્તન કરે તો પ્રજાની વેદના બમણી થઈ જાય છે.
સાંસદ સંજય સિંહે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, 1990ના દાયકામાં કાશ્મીરમાં ભાજપ સમર્થિત સરકાર હતી અને હવે સંપૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીની સરકાર છે, તો પણ કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ખીણમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત પણ જોવા મળી છે.
BJP की गूंगी-बहरी सरकार ने कश्मीर को अपनी घटिया राजनीति का अड्डा बना दिया। न स्कूल दिए, न अस्पताल, न रोजगार.. दिया तो मासूमों का खून, 1990 जैसा खुलेआम आतंकवाद, और 80% कश्मीरी हिंदुओ का पलायन।
અગાઉ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ "અત્યંત ચિંતાજનક" છે અને કેન્દ્ર સરકારને ત્યાંના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.