આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ આજે પર આકરા પ્રહાર કર્યા.તેલગુ દેશમ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં નાયડુએ કહ્યું કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી જીતવી ભાજપ માટે અશક્ય છે. કારણકે પ્રાદેશિક પક્ષો એક થઇને ભાજપને પડકાર આપશે જેથી ભાજપનો પરાજય થશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અંગે ચંદ્રાબાબુ નાયડુએ નિવેદન આપ્યું કે તેઓ માત્ર પ્રચાર કરે છે અને ગત ચૂટણી સમયે કરેલા વાયદા મોદીએ પૂર્ણ કર્યા નથી. આ સાથે જ ચંદ્રાબાબુ નાયડુએ મહાગઠબંધનના પણ સંકેત આપ્યા.
In 2019 the regional parties will be king-makers. All regional parties are coming together to defeat BJP. In upcoming Lok Sabha elections BJP will taste defeat: N Chandrababu Naidu CM of Andhra Pradesh. pic.twitter.com/sCAVflEaAO
ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પહેલા એનડીએમાં સામેલ હતી.પરંતુ કેન્દ્ર સમક્ષ વિશેષ રાજ્યની માગ પૂર્ણ ન થતાં એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો અને કેન્દ્રીય કેબિનેટમાંથી પણ ટીડીપીના મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા.
આપને જણાવી દઇએ કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનનું આ નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે બહુચર્ચામાં રહેલા કર્ણાટક ચૂંટણી બાદ યોજાયેલ શપથગ્રહણ સમારોહમાં એક જ સ્ટેજ પર 14 જેટલા પક્ષના ટોચના નેતાઓ એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ નેતાઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ પણ સામેલ હતા. ત્યારે હવે તેમના આ નિવેદન બાદ જોવું રહ્યું કે આંધ્રપ્રદેશ સરકાર પણ ભાજપ સામે બાંયો ચડાવે છે કે નહીં.