મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના આઠમાં નોરતા પર અંબાજી માં અંબા અને ઊંઝા માં ઉમિયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ ઊંઝામાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ભુપેન્દ્ર પટેલ ઊંઝા પધાર્યા
ઊંઝા ઉમિયા માતાજી મંદિરે મુખ્યમંત્રી એ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા
ભૂલથી પણ ભૂલ ના થાય અને કોઈ આંગળી ના ચીંધે એવું કામ કરવું છેઃ મુખ્યમંત્રી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનો મુખ્યમંત્રીનો હોદ્દો સાંભળ્યા બાદ આજે આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના યાત્રાધામ ઊંઝા ઉમિયા ધામ પધાર્યા હતા. ઊંઝા ઉમિયા ધામ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉમિયા માતાજી મંદિર ખાતે પ્રથમ વરિષ્ઠ પાટીદારો અગ્રણીઓની મુલાકાત કરી હતી. તો વળી તમામ વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ માઁ ઉમિયાના ચરણે શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જોકે મુખ્યમંત્રી બાદ ઉમિયા મંદિરે પધારેલા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજી મુખ્યમંત્રીને સન્માનિત કર્યા હતા. આ સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણીઓએ 70 વર્ષે સમાજની આશા પુરી થઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
મારે પ્રોબ્લેમ ના થાય એ જોવું પડે, ભૂલ ના થાયઃ CM ભૂપેન્દ્ર પટેલ
ઊંઝામાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે અંબાજી જઈને અહીં આવ્યો છું. આસો સુદ આઠમના નવરાત્રીના દિવસે દર્શન કરી ધન્ય બન્યો છું. મારી ટીમ મજબુત છે. નવા આવ્યા હોય એટલે એમ થાય કે ક્યારે ઝડપથી કામ કરી નાખીએ. આ બધું શબ્દોની મારામારી છે. મારે પણ શીખવું પડે એમ છે. મારે પ્રોબ્લેમ ના થાય એ જોવું પડે. ભૂલ ના થાય, મારી સામે કોઈ આંગળી ના કરે એવા કામ કરવાનો પ્રયત્ન કરીશ.
આજે ઉંઝા ખાતે કુળદેવી શ્રી ઉમિયા માતાજીના દેવસ્થાને પૂજન તથા દર્શન લાભ લઈ સૌ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.માં ઉમિયા સૌને સ્વસ્થ તથા સમૃધ્ધ જીવન અર્પે તેવી પ્રાર્થના. (૧/૨) pic.twitter.com/oxI5VDeFgO
મુખ્યમંત્રી અંબાજીમાં માં અંબાના દર્શન બાદ ઊંઝા માં ઉમિયાના દર્શને પહોંચ્યા હતા
નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ ઊંઝાની મુલાકાતે પહોચ્યા હતા અને ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. દર્શન બાદ ઉમિયા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી બન્યા બાદ ઊંઝામાં ભૂપેન્દ્ર પટેલની આ પ્રથમ મુલાકાત છે.
અંબાજીમાં જરૂરિયાત મંદ 33 આદિવાસી લોકોને જમીન સનદનું કરાયું વિતરણ
CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ કહ્યું કે, આજે આઠમાં નોરતે મા અંબાના દર્શન કર્યા છે. છેવાડાના માનવીઓને પણ છત મળે તે વ્યવસ્થા કરવાનો અવસર મળ્યો છે. વિચરતીજાતિના લોકો માટે છતની વ્યવસ્થા કરાઇ. જેમની માથે છત નથી તેમને ઘર મળે તેમનો આનંદ તે જ સમજી શકે. વિચરતીજાતિના 33 પરિવારને સનદ CMના હસ્તે વિતરણ કરાયા. કાયમી ધોરણે માલકીના હકની મકાન અને પ્લોટનુ વિતરણ કરાયું.