અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 19થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે.
સ્વામિનારાયણ મંદિરમાં ગાદી સુવર્ણ મહોત્સવ
આજથી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે મહોત્સવ
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહોત્સવનો કરાયો પ્રારંભ
મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા એક સપ્તાહના શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આજથી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવનો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્વ-ધર્મ, સ્વ-રાષ્ટ્રની ગરિમાને ભાજપે હરહંમેશ ઉપર રાખી છે: CM
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો પ્રારંભ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વામિનારાયણ ગાદીના 50 વર્ષ પૂર્ણ થવાના મહોત્સ્વની સાથે સાથે પ.પૂ. મૂક્તજીવન સ્વામી મહારાજની 115મી જન્મજયંતીની આજે ઉજવણી થઈ રહી છે. આ પાવન પર્વે મને સહભાગી થવાનો અવસર મળ્યો એટલે હું મારી જાતને સદભાવીરૂપી સમજુ છું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ સરકારે હંમેશા સ્વ ધર્મ, સ્વ સંસ્કૃત, સ્વ ભાષા અને સ્વ રાષ્ટ્રની ગરીમા અસ્મિતાને સૌથી ઉપર રાખી છે.
ગુજરાત સરકાર મંદિરોની વિરાસતની જાળવણી માટે મોટુ બજેટ આપે છે: ભૂપેન્દ્ર પટેલ
તેમણે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત જાળવી રાખી વિકાસનો મજબૂત પાયો નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો અને એ પાયા ઉપર હું અને મારી ટીમ આ ગુજરાતના વિકાસને વધુ ગતિએ આગળ કેવી રીતે વધારી શકાય એના માટે પ્રયાસો કરી રહ્યા છે. સીએમ પટેલે જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રાદયે ગુજરાતાં અનેક ગુરુકુળ, છાત્રાલય, હોસ્પિટલો, સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરો આપીને શ્રીજીના સાસ્વત મૂલ્યોને આગળ વધાર્યા છે.
મહોત્સવમાં વ્યસનમુક્તિ શિબિર સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો યોજાશે
આપને જણાવી દઈએ કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરે તેવી ધારણા છે. ગુજરાત સરકાર પણ મંદિરોની વિરાસતની જાળવણી માટે મોટું બજેટ આપે છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ મહોત્સવમાં વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત - વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો-ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.