આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી તો ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા.
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યા ભગવાન જગન્નાથના દર્શન
અમિત શાહ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની પણ ઉજવણી કરશે
સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમદાવાદની પોળમાં પતંગ ચગાવીને CMએ ઉત્તરાયણની ઉજવણી કરી. શહેરના દરિયાપુર વિસ્તારમાં નવા તળીયાની પોળમાં ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ મનાવી. CMએ પતંગ ચગાવીને સ્થાનિકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.
#WATCH | Gujarat CM Bhupendra Patel flies a kite and participates in the kite festival, in Dariapur, Ahmedabad. pic.twitter.com/67XtOrSlsl
કોઇ પણ નાની ભૂલ કે કોઇ જીવ માટે જીવલેણ ન સાબિત થાય એનું ધ્યાન રાખવું: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉત્તરાયણનું મહાપર્વ અને મહાપર્વ હરહંમેશ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ ગુજરાત અને આખા દેશભરમાં અને હવે તો માનનીય નરેન્દ્રભાઇએ જે પતંગોત્સવ શરૂ કરીને દેશ અને વિદેશમાં પણ આ પતંગોત્સવ શરૂ થયો છે ત્યારે આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ રહ્યો છે અને આજ પ્રમાણે દરેકે દરેક જણ ઉત્સાહથી આ તહેવાર ઉજવે. પરંતુ કોઇ પણ નાની ભૂલ કે કોઇ જીવ માટે અથવા તો પોતાના માટે જીવલેણ ન સાબિત થાય એનું ધ્યાન રાખે એવી મારી અપીલ.'
વધુમાં ચાઇનીઝ દોરી અંગે કહ્યું કે, ચાઇનીઝ દોરી માટે સરકાર પણ કટિબદ્ધ છે. તેમજ આપણે પણ ધ્યાન રાખીએ કે ક્યાંય પણ આ દોરી ખરીદાતી હોય કે વેચાતી હોય તો તેનું ધ્યાન દોરશો તો અમે એની વિરૂદ્ધ સખ્તાઇથી પગલાં લઇશું.'
Union Home Minister Amit Shah offered prayers at Shree Jagannath Temple in Ahmedabad, Gujarat today. pic.twitter.com/bXgCIeDjvB
તદુપરાંત બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આજે જગન્નાથજીના મંદિરે જઇને ભગવાનના દર્શન કર્યા હતા. સહપરિવાર સાથે અમિત શાહે જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કર્યા. તો બીજી બાજુ અમિત શાહે મંદિરની ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી. આ સિવાય આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની પણ ઉજવણી કરશે.
આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ વેજલપુરની વીનસ પાર્કલેન્ડ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરી આસપાસના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યાં તેઓએ તલ-ચીકી અને ઉંધીયા-જલેબીનો સ્વાદ માણ્યો હતો.