કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી લઇને દિલ્હીની તૈયારી પર અરવિંદ કેજરીવાલે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન તેમણે કેટલીક માહિતી આપી છે.
કોરોના સામે જંગની તૈયારી પર કેજરીવાલનું નિવેદન
દિલ્હીમાં સંક્રમિતોને ઘર સુધી પહોંચાડવામાં આવશે દવાઃ કેજરીવાલ
દરરોજના 1 લાખ ટેસ્ટ કરી શકાશે, તેની તૈયારી કરી રહ્યા છીએઃ કેજરીવાલ
કોરોના સામે જંગની તૈયારી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં સંક્રમિતોને ઘર સુધી દવા પહોંચાડવાની વ્યવસ્થા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીની જનતાએ ડરીને હોસ્પિટલ ભાગવાની જરૂર નથી. દિલ્હી સરકાર તમારી સાથે છે.
કેજરીવાલે કહ્યું કે, ઓમિક્રોન નિર્ણય ખુબ જ જલ્દીથી ફેલાય છે. આ ઘણો માઇલ્ડ છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ ઓછા થાય છે અને મોત પણ ઓછા થાય છે. તેને ધ્યાનમાં રાખીને આપણે પોતાની તૈયારીઓ કરી છે. જો આ બહુ ઝડપથી ફેલાય છે તો તેનો હિસાબે આપણે 3,00,000 ટેસ્ટ રોજ કરવાની કેપેસિટી બનાવી છે કે જો જરૂર પડશે તો દિલ્હીમાં ત્રણ લાખ ટેસ્ટ થઇ શકે. તેમણે કહ્યું કે, હજુ રોજના 60થી 70 હજાર ટેસ્ટ થઇ રહ્યા છે, પરંતુ જો 3 લાખ ટેસ્ટ રોજના કરવાની જરૂર પડી તો અમે કરી શકીએ છીએ.
ઘરના કંફર્ટમાં સારવાર
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ગત વખત જે લહેર આવી હતી તેમાં રોજના 26થી 27 હજાર કેસ નોંધાઇ રહ્યા હતા. આ વખતે આપણે તૈયારી કરી છે કે જો 1 લાખ રોજના કેસ પણ નોંધાઇ તો તેના હિસાબથી અમે તૈયારી કરી છે. કારણ કે માઇલ્ડ છે એટલા માટે અમારી જનતાને અપીલ છે કે તમે ઘર રહો હોસ્પિટલ તરફ ન ભાગતા. જો હળવા લક્ષણ છે તો અમે પ્રયત્ન કરીશું કે તમને તમારા ઘરે જ ઘરના કંફર્ટમાં તમારી સારવાર થાય.
कोरोना के ओमिक्रोन वेरिएंट या तीसरी लहर की चुनौती से लड़ने के लिए दिल्ली की तैयारियों की आज मैंने खुद बारीकी से समीक्षा की। Press Conference | LIVE https://t.co/oEHuKS2hKl
દરરોજના 1 લાખ ટેસ્ટ કરી શકાશે. તેની તૈયારી કરી રહ્યા છીએ. હાલ 75 હજાર ટેસ્ટની ક્ષમતા
હોમ આઇસોલેશન માટે કોઈ એજન્સી હાયર કરવાની થશે તો તે કરીશું. એક બે દિવસમાં તેને કરી લઇશું. હજુ સુધી માત્ર 1100 કેસ એટલે ઘર સુધી વિઝિટની વ્યવસ્થા હતી, હવે 1 લાખ વિઝિટ સુધીની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
2 મહિનાના બફર સ્ટૉક દવાઓ રહેશે.
ઑક્સિજનની અછત હતી ગત વખતે, પરંતુ આ વખતે નહીં થાય. તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ. આગામી 3 અઠવાડિયામાં 15 ટ્રક આવી જશે આના માટે.
99 ટકાને સેકન્ટ અને 70 ટકાને પહેલો ડોઝ આપી દેવાયો છે.
સીરો સર્વે આવ્યો જેમાં 95ની જાણ થાય છે કે તેને કોરોના થયો અને એન્ટી બૉડીઝ બની છે.
દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 64 ઓમિક્રોન કેસો અને કોવિડ19 દર્દીઓ માટે હોમ આઇસોલેશન મેનેજમેન્ટને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કેજરીવાલ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે. ગુરુવારે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ક્રિસમસ અને ન્યૂયર પર થનારા આયોજનો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.