ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના વેક્સિનને લઇને ICMR મોટા ખુશખબર આપ્યા છે. ICMRએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે 2 વેક્સિનની ટ્રાયલ સતત આગળ વધી રહી છે અને તે ઉંદર અને સસલા પર તેમની ટોક્સિસિટી સ્ટડીઝ સફળ રહ્યું છે.
દેશમાં કોરોનાની રસીને લઇ સારા સમાચાર
ICMRના DG ડો.બલરામ ભાર્ગવનું નિવેદન
રસી મુદ્દે આપણે આગળ વધી રહ્યાં છીએ: ICMR
ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે કોરોના પર પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પરીક્ષણના આંકડા દેશના ડ્રગ કંન્ટ્રોલર જનરલ (DGCI)ને મોકલવામાં આવ્યા અને હવે તેમણે માનવ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.
પ્રાથમિક તબક્કે માનવ પરીક્ષણ ચાલું
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'આ મહિનામાં અમને મનુષ્ય પર પ્રાથમિક તબક્કે પરીક્ષણ કરવાની મંજૂરી મળી છે. બંનેની રસી માટે ટ્રાયલની તૈયારી કરવામાં આવી છે અને આ બંને માટે લગભગ 1-1 હજાર લોકો પર ક્લિનિકલ અભ્યાસ પણ કરવામાં આવી રહ્યા છે. ભાર્ગવે બીજી એક મોટી વાત કહ્યું કે વિશ્વમાં વપરાતા રસીઓમાં 60% ભારતમાં બનાવવામાં આવે છે. વિશ્વનો દરેક દેશ આ જાણે છે. તેથી, તે બધા ભારતના સંપર્કમાં છે.
COVID-19 is a droplet infection. There has been hypothesis & suggestions by several scientists that there may be some airborne transmission with microdroplets (less than 5 microns in size). What remains important is physical distancing & use of masks: ICMR DG Balram Bhargava pic.twitter.com/rMyLFlbWmE
રશિયા, ચીન, અમેરિકાએ પણ ઝડપી વેક્સિન શોધવાના કરી રહ્યું છે પ્રયાસ
ભાર્ગવે જણાવ્યું હતું કે, રશિયાએ પણ વેક્સિન શોધવાની પ્રક્રિયામાં ગતિ વધારી છે અને તેમને પ્રાથમિક તબક્કામાં સફળતા મળી છે. સાથે જ ચીને પણ વેક્સિન તૈયાર કરવા માટે કમર કસી છે અને પરીક્ષણ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. તો આ તરફ જગત જમાદાર અમેરિકા પણ કોરોનાની વેક્સિન શોધવા માટે કામે લાગ્યું છે.