બ્રેકિંગ ન્યુઝ
VTV / Clashes in 5 districts of Bihar: 125 arrested, firing-blast in Nalanda and Sasaram
Priyakant
Last Updated: 10:04 AM, 2 April 2023
ADVERTISEMENT
રામનવમીની શોભાયાત્રા દરમિયાન બિહારના નાલંદામાં શરૂ થયેલી હિંસાને કારણે અફરાતફરીનો માહોલ છે. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. જે બાદમાં મોડી સાંજે પ્રશાસને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ સાસારામમાં કલમ 144 હજુ પણ લાગુ છે. ત્યાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બિહારના પાંચ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ છે. બિહાર શરીફ અને નાલંદાના સાસારામમાં બે દિવસથી ગોળીબાર અને બોમ્બ ધડાકા ચાલુ છે. નાલંદામાં ગોળી લાગવાથી એકનું મોત થયું છે, જ્યારે બંને જગ્યાએ ઘણા લોકો ઘાયલ થયા છે. બિહાર શરીફ, સાસારામ અને ગયામાં 125થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Police personnel deployed in Biharsharif, Nalanda as Section 144 is imposed in the city after a fresh clash erupted last night following violence during Ram Navami festivities#Bihar pic.twitter.com/Th9zffoJFt
— ANI (@ANI) April 2, 2023
બિહારના નાલંદામાં હિંસાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખુદ ડીએમ અને એસપી પણ મોડીરાત સુધી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહ્યા. પોલીસના જણાવ્યા અનુસાર પહાડપુરા, બનૌલિયા, અલીનગર, બસર બીઘા, ખાસગંજ, કોનાસરાઈ અને રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં પથ્થરમારો અને અથડામણ થઈ હતી.
યુવકનું મોત
આ તરફ પહાડપુરાના રહેવાસી યુવકનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ જ વિસ્તારમાં અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી. જ્યારે ખાસગંજમાં પણ ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ જ રીતે ખાસગંજ વિસ્તારમાં પથ્થરમારામાં ઘણા લોકો ઉપરાંત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
Bihar | Six persons were injured in an explosion in Sasaram yesterday. As per the police, the incident occurred during the handling of illegal explosives at a private property in the city. Following the incident, the injured were admitted to the District hospital last night. pic.twitter.com/gqwUuEF771
— ANI (@ANI) April 2, 2023
શું કહ્યું પોલીસે ?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ આગચંપી પણ થઈ છે. જેમાં બે લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. આમાંથી એક યુવકને ખરાબ રીતે ઘાયલ હાલતમાં પટના રિફર કરવામાં આવ્યો હતો. જોકે તેનું પણ રસ્તામાં જ મોત થયું હતું.
#UPDATE | Information was received about the incident of a bomb blast in Sasaram of Rohtas. A scooty has also been recovered. FSL team is reaching the spot to investigate. Prima facie it does not appear to be a communal incident: Bihar police pic.twitter.com/rXuRMOnyri
— ANI (@ANI) April 1, 2023
પોલીસ સામે ગંભીર આરોપ
આ તરફ હવે આરોપ છે કે, જ્યારે હંગામો વધી ગયો તો સ્થાનિક લોકોએ પોલીસને ઘણી વખત જાણ કરી. આમ છતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. આવી સ્થિતિમાં કોણાસરાય વિસ્તારના ડઝનેક લોકો પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સુરક્ષા માટે વિનંતી કરી.
શું કહ્યું એસપીએ ?
આ તરફ હવે એસપી અશોક મિશ્રાએ જણાવ્યું કે, સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં સઘન નાકાબંધી, કડક પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહી છે. હાલ સમગ્ર જિલ્લામાં સ્થિતિ કાબુમાં છે. આ સાથે ડીએમએ નાલંદાના રહેવાસીઓને અપીલ કરી છે કે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દરેક પોતાના ઘરમાં જ રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.