અમદાવાદમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણનો મામલે પોલીસે NSUI-ABVPની ફરીયાદ લીધી નથી. જ્યારે પોલીસ ખુદ ફરીયાદી બની બન્ને સામે કેસ દાખલ કર્યો છે. નામ વગર પોલીસે બન્ને સંગઠનના કાર્યકર સામે ફરીયાદ કરી છે. પોલીસે બન્ને સંગઠન સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
NSUI-ABVP વચ્ચે ઘર્ષણનો મામલો
પોલીસ ખુદ ફરીયાદી બની બન્ને સામે કેસ દાખલ કર્યો
પોલીસે બન્ને સંગઠન સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો
જો કે પોલીસે NSUI-ABVPની ફરિયાદ ન લઇ અને ખુદ ફરિયાદી બનતા પણ સવાલો ઉઠી રહ્યાં છે. NSUIએ ભાજપના મોટા નેતાનું નામ નોંધવાની માગ કરી છે. NSUIએ ઋત્વિજ પટેલ અને પ્રદિપસિંહ વાઘેલાનું નામ નોંધવાની માગ કરી છે.
જ્યારે ABVP તરફથી નીખિલ સવાણી સામે ફરીયાદ નોંધવાની માગ કરાઇ છે. જો કે હાલ કોઇની સામે ફરિયાદ નથી નોંધાઇ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમાધાનની ભૂમિકામાં આવ્યા છે. હાલ સમગ્ર કેસની તપાસ ACPને સોંપવામાં આવી છે.
અમદાવાદમાં ABVP અને NSUI વચ્ચે થયેલા ઘર્ષણ મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે આ મામલે પોલીસે બંને પક્ષમાંથી કોઇની ફરિયાદ લીધી નતી અને ખુદ ફરિયાદી બની બન્ને સામે કેસ દાખલ કર્યો છે.