CAA અને NRCની જેમ બિન ભાજપ શાસિત રાજ્યો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. આ નામમાં સૌથી મોખરે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. CAA અને NRCને લઈને મોદી સરકારની વિરુદ્ધમાં મમતા બેનર્જીએ બંગાળમાં NPR પર ચાલી રહેલી કામગીરીને રોકી દીધી છે.
નાગરિકોની ઓળખનો ડેટાબેસ જમા કરવાની તૈયારી શરૂ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો CAA અને NRC નો વિરોધ
NPR પર ચાલી રહેલી કામગીરીને રોકી દીધી
નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન પર દેશભરમાં મચેલા વિરોધની વચ્ચે મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની તરફ પગલું ભરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને માટે કેબિનેટથી 3941 કરોડ રૂપિયાની માંગ કરી છે. NPRનો ઉદ્દેશ દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખ ડેટાબેસ બનાવવાનો છે. તેમાં વસ્તી ગણતરીની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે.
આ સિવાય કેરળની લેફ્ટ સરકારે પણ NPR સંબંધિત દરેક કાર્યવાહીને રોકવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયની તરફથી એક નિવેદનમાં કહેવાયું ચે કે સરકારે એનપીઆરને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમને શંકા છે કે તેની મદદથી NRC લાગૂ કરવામાં આવશે.
શા માટે વિરોધ કરી રહી છે મમતા બેનર્જી?
મમતા બેનર્જી પહેલાં સતત કહેતી રહી છે કે જે પોતાના રાજ્યમાં NCR અને નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થવા દેશે નહીં. તેઓએ એનપીઆરને લઈને પોતાનો મત નક્કી કર્યો છે. ઘૂસપેઠની સમસ્યા અસમથી વધારે પશ્ચિમ બંગાળમાં છે. 1971માં બાંગ્લાદેશના ગઠબંધનની સાથે અહીંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
મમતા બેનર્જીએ NPR પર ચાલી રહેલી કામગીરીને રોકી દીધી
લોકોમાં પહેલાંથી જ NRCનો ડર હતો અને હવે CAAએ આ ડર વધારી દીધો છે. NPRને લઈને પણ લોકોમાં ડર હતો અને હવે નાગરિકતા કાયદો લાગૂ થયા બાદ મુસલમાનોને ડર છે તે અહીં લોકોના મનમાં ભય છે કે તેમને અહીંથી કાઢી મૂકવામાં આવશે. આ લોકોના સમર્થનમાં મમતા બેનર્જી છે અને આ કારણ છે કે મમતા બેનર્જીએ એનપીઆરનું કામ રોકાવી દીધું છે.
એપ્રિલ 2020થી શરૂ થશે સર્વે
આઝાદી બાદ 1951માં પહેલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી. દર 10 વર્ષે થનારી વસ્તી ગણતરી હાલ સુધી 7 વાર થઈ ચૂકી છે. 2011માં પણ કરવામાં આવી અને 2021ને માટે કામગીરી ચાલુ છે. આ તૈયારીમાં લગભગ 3 વર્ષનો સમય લાગે છે અને 3 ભાગમાં આ ગણતરી કરવામાં આવે છે. પહેલા ચરણમાં એટલે કે એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્ય સરકારના કર્મચારીઓ ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરશે. અન્ય ચરણમાં 9 ફેબ્રુઆરી 2021થી 28 ફેબ્રુઆરીમાં ગણતરી કરાશે અને ત્રીજા ચરણમાં 1 માર્ચ 2021થી 5 માર્ચ 2021માં વસ્તી ગણતરી કરવામાં આવશે.
શું છે NPRની પ્રક્રિયા?
NPR દેશના સામાન્ય નાગરિકનો દસ્તાવેજ છે અને નાગરિકતા અધિનિયમ 1955ના નિયમના આધારે સ્થાનીય, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ રહેવાસી જે 6 મિહના કે તેનાથી વધારે સમયથી સ્થાનીય વિસ્તારમાં રહે છે તો તેને NPRમાં અનિવાર્ય રીતે સામેલ કરવામાં આવે છે. 2010થી સરકારે દેશના નાગરિકોની ઓળખનો ડેટાબેસ જમા કરવાની શરૂઆત કરી. તેને 2016માં સરકારે જાહેર કર્યું હતું.