ભારત અને ચીનની વચ્ચે સીમાને લઈને તણાવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિ માટે પોતાને મજબૂત કરવા માટે અને પોતાની ક્ષમતાને વધારવા માટેના આદેશ આપ્યા છે.
ભારત ચીન સીમા વિવાદ
શી જિનપિંગે સેનાને આપ્યા ખાસ આદેશ
વાસ્તવિક યુદ્ધ માટે પોતાની ક્ષમતાને મજબૂત કરોઃ જિનપિંગ
પૂર્વી લદ્દાખમાં સીમાને લઈને ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે બંને દેશોમાં સ્થિતિને જોતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સશસ્ત્ર બળે વાસ્તવિક યુદ્ધની સ્થિતિમાં પ્રશિક્ષણને મજબૂત કરવા અને સાથે યુદ્ધ જીતવા માટે પોતાની ક્ષમતા વધારવા માટે આદેશ આપ્યો છે. સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ પીપુલ્સ લિબરેશન આર્મીને 2027 સુધી અમેરિકાની સેનાની બરાબર ક્ષમતા બનાવવાની યોજના કરી છે.
શી જિનપિંગે કહ્યું કે સેનાએ યુદ્ધને જીતવાના સ્તરે પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું. હાલમાં તેઓએ એ વાત પર જોર આપ્યું કે જો પીએલએ પોતાને અન્ય અગ્રણી શક્તિઓની બરાબરીમાં પહોંચવા માટે આધુનિત યુદ્ધ શક્તિમાં બદલવા ઈચ્છે છે તો તેને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી અત્યાધુનિક ટેકનિક અપનાવવી જોઈએ.
મે મહિનાથી સરહદ પર ચાલી રહ્યો છે તણાવ
સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના નેતૃત્વ કરનારા અને લાંબા સમયથી રાષ્ટ્રપતિ પદ પર કાયમ રહેનારા 67 વર્ષના શી જિનપિંગ સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે. જે દેશના 20 લાખ સૈનિકોની ક્ષમતા વાળી સેનાના સર્વોચ્ચ કમાન છે. અહીં સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ભારત અને ચીનની વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ ચાલી રહી છે અને તેને ઘટાડવા માટે લગભગ 8 વખત ચર્ચાઓ થઈ ચૂકી છે. મળતા રિપોર્ટ અનુસાર સીએમસીની બેઠકમાં શી જિનપિંગે નવા સમય માટે સેનાને મજબૂત કરવાની સાથે સૈન્ય રણનીતિ પર પાર્ટીના વિચારોને લાગૂ કરવા પર ભાર મૂક્યો છે.