ભારત ચીન વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશના પાંચ યુવકો ચીનમાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને પાછા લાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
અરુણાચલ પ્રદેશના પાંચ યુવકો ચીન પાસે
ભારતીય સેના દ્વારા કરાયેલા હોટલાઈન મેસેજ બાદ ચીને કરી કબૂલાત
થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે ચીને પાંચ યુવકોનું અપહરણ કર્યું
તેમને પરત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
અરુણાચલ પ્રદેશથી સાંસદ અને ભારત સરકારના મંત્રી કિરણ રિજીજુએ આ જાણકારી આપી. રિજીજુએ કહ્યું કે તે યુવકોને પાછા લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અરુણાચલ પ્રદેશના પાંચ યુવકો મામલે ભારતીય સેના દ્વારા હોટલાઈન મેસેજ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં ચીનની PLAએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા યુવાનો તેમને ત્યાં મળી આવ્યા છે. જે બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને પરત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
China's PLA has responded to hotline message by Indian Army. They confirmed that missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover them to our authority being worked out: Kiren Rijiju, Union Minister and MP from Arunachal Pradesh pic.twitter.com/tRy6hY04hp
પરિવારે આરોપ લગાવ્યો કે ચીની સેનાએ જ તેમનું અપહરણ કર્યું
નોંધનીય છે કે કોંગ્રેસના એક ધારાસભ્યએ પહેલા જ આ દાવો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ચીન અરુણાચલ પ્રદેશના પાંચ યુવકોને લઇ ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના 5 લોકોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અપહરણ કર્યું છે. આ યુવકો જંગલમાં શિકાર કરવા ગયા હતા જે બાદ ત્યાંથી જ લાપતા થઇ ગયા, પરિવારે પણ આરોપ લગાવ્યો કે ચીની સેનાએ જ તેમનું અપહરણ કર્યું છે.
SHOCKING NEWS: Five people from Upper Subansiri district of our state Arunachal Pradesh have reportedly been ‘abducted’ by China’s People’s Liberation Army (PLA).
બીજી તરફ આજ સવારથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચરમસીમા પર છે, ચીન દાવાઓ કરી રહ્યું છે કે ભારતે ચીન પર ફાયરિંગ કર્યું છે જોકે ભારતીય સેનાએ નિવેદન આપ્યું છે કે ભારત તરફથી કોઈ ફાયરીંગ થઇ નથી અને સરહદ પણ ઓળંગવામાં આવી નથી. આ સિવાય ચીન અજીત ડોભાલનું નામ લઈને અફવાઓ ફેલાવવા પ્રયત્ન કરી રહ્યું છે જેના પર સેનાએ ધ્યાન ન આપવા સલાહ આપી હતી.