ચીનમાં કહેર મચાવી રહેલા કોરોનાની હવે ભારતમાં એન્ટ્રી થઈ છે અને ગુજરાતમાં તેનો પહેલો કેસ નોંધાયો છે.
ચીનના કોરોનાની ભારતમાં એન્ટ્રી
ભાવનગરનો શખ્સ નીકળ્યો કોરોના પોઝિટીવ
રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયુ દોડતું
રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેશન કરાયો
BF-7ના રિપોર્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા
બે દિવસ પહેલા ચીનમાંથી આવ્યો હતો
ચીનમાં કોરોનાથી સર્જાયેલી તબાહી વચ્ચે ભારતમાં પણ ચિંતા વધી છે. ચીનથી ગુજરાતના ભાવનગર પરત ફરેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. હવે તેમના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. 34 વર્ષીય બિઝનેસમેન કામ માટે ચીન ગયા હતા. 19 ડિસેમ્બરે ભારત પરત ફર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝિટવ નીકળ્યો હતો.
બે દિવસ પહેલા ચીનથી ભાવનગર આવ્યો હતો
ભાવનગરમાં ચીનથી આવેલા બિઝનેસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પીડિત યુવકને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના પોઝિટિવ લક્ષણો જણાતા બીએફ.7 ટેસ્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. બે દિવસ પહેલા એક 34 વર્ષીય યુવક ચીનથી ભાવનગર આવ્યો હતો. તેની સાથે ફ્લાઇટમાં આવેલા લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. યુવક શાંઘાઈ, હોંગકોંગ અને મુંબઈ થઈને ભાવનગર આવ્યો હતો.
વિદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ગુજરાત સરકાર સતર્ક
થઈ ગઈ છે. ગુજરાત સરકારે હવે અન્ય દેશોમાંથી રાજ્યમાં આવતા મુસાફરોની "ફરજિયાત" તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં અમદાવાદ અને વડોદરામાં ગુજરાતમાં કોરોના વાયરસના ઓમિક્રોનના પેટા-સ્વરૂપ બીએફ.7 ના ઓછામાં ઓછા બે કેસ નોંધાયા હતા. બંને કેસ વિદેશથી પરત ફરેલા લોકોમાં જોવા મળ્યા હતા.
ભારતમાં BF.7 વેરિએન્ટના 4 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં BF.7 વેરિએન્ટના 4 કેસ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતમાં મળી આવ્યા હતા. જો કે, ભારતમાં મળી આવેલા કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. BF.7 વેરિયન્ટ ચીનમાં હાલની લહેર માટે જવાબદાર હોવાનું કહેવાય છે. આ વેરિએન્ટે ચીનમાં ભારે તબાહી મચાવી છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે.
વિદેશથી આવતા લોકોનું રેન્ડમ સેમ્પલિંગ શરૂ
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમે આ રોગચાળા માટે પ્રતિબદ્ધ છીએ અને આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બધાએ સમજવાની જરૂર છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી. આપણે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.
ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી થશે- વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ચીનમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. આપણે દુનિયાની ફાર્મસી છીએ અને આ રીતે હંમેશા બીજા દેશોની મદદ કરી છે. આપણે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરવાની છે.
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી હાઈ લેવલ રીવ્યુ મીટિંગ
ભારતમાં કોરોનાનું સંકટ સર્જાતા અત્યારથી તેને બેસાડી દેવા માટે કેન્દ્રીય સ્તરે મોટાપાયે ધમધમાટ શરુ થયો છે. ગઈકાલે માંડવિયાની મોટી બેઠક બાદ આજની આઈએમએની ગાઈડલાઈન્સની સાથે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને કેન્દ્રીય મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈને ચર્ચાવિચારણા કરી હતી.