WHOનું કહેવું છે કે ચીની રસીના બન્ને ડોઝ લાગી ચૂકેલાને કોરોના રસીનો ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ.
WHOએ તમામ રસીના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી
નબળી ઈમ્યૂનિટી સિસ્ટમવાળા લોકોને એક વધારોનો ડોઝ આપવો જોઈએ
સિનોવૈક અને સિનોફાર્મ લગાવનારને ત્રીજા ડોઝની જરુર
WHOએ તમામ રસીના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો જેમને ચીની રસીના બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. તેમને કોરોના રસીનો ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ. WHOએ રસીની એડવાઈઝરીએ સોમવારે ઈમ્યૂનો કોમ્પ્રોમાઈઝ્ડ એટલે કે નબળી ઈમ્યૂનિટી સિસ્ટમવાળા લોકોને WHO તરફથી પરવાનગી પ્રાપ્ત તમામ રસીનો બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે.
નબળી ઈમ્યૂનિટી સિસ્ટમવાળા લોકોને એક વધારોનો ડોઝ આપવો જોઈએ
WHOની રણનીતિક રસીકરણ પર વિશેષજ્ઞોના સલાહકાર સમૂહે કહ્યું કે મધ્યમ અને ગભીર રુપથી નબળી ઈમ્યૂનિટી સિસ્ટમવાળા લોકોને એક વધારોનો ડોઝ આપવો જોઈએ. આ વ્યક્તિમાં રસીના પર્યાપ્ત રુપથી પ્રતિક્રિયા કરવા પર શક્યતા ઓછી અને ગંભીર કોવિડ 19ની બિમારીને ખતમ કરવાની વધારે છે.
સિનોવૈક અને સિનોફાર્મ લગાવનારા તૈયાર રહે
WHOએ કહ્યું કે 60થી વધારે ઉંમરના જે લોકો ચીનની સિનોવેક અને સિનોફાર્મ રસી લઈ ચૂક્યા છે. તમણે રસીનો ત્રીજો ડોઝ વગાવવો જોઈએ. સમૂહે કહ્યું કે, સિનોવૈક અને સિનોફાર્મ રસી માટે હોમોલોગ્સ રસીનો એક ત્રીજો ડોઝ 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવો જોઈએ.
પહેલું લક્ષ્ય 2 ડોઝ આપવાનું છે
SAGEએ કહ્યું કે આ ભલામણને લાગૂ કરતા સમયે દેશોએ શરુઆતમાં વધારેમાં વધારે લોકોને 2 ડોઝ આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ બાદ ત્રીજા ડોઝની તૈયારી શરુ કરવી જોઈએ. સૌથી પહેલા વૃદ્ધોને આના ડોઝ આપવા જોઈએ. વિશેષજ્ઞોએ ભાર મુકીને કહ્યું કે તે મોટા પાયા પર વસ્તી માટે એક વધારાનો કથિત બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ નથી કરી રહ્યા.