ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રા પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે. ઈમરાન ખાને કહ્યું કે આંતરરાષ્ટ્રિય મીડિયા કાશ્મીર મુદ્દાને અવગણી રહી છે.
આજથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બે દિવસની ભારત યાત્રા
આંતરરાષ્ટ્રિય મીડિયા કાશ્મીર મુદ્દાને અવગણી રહી છેઃ ઈમરાન ખાન
આંતરરાષ્ટ્રિય મીડિયાના વલણથી નારાજ ઈમરાન ખાન
કાશ્મીર અંગે આંતરરાષ્ટ્રિય મીડિયાના વલણ અંગે નારાજગી વ્યક્ત કરતાં ઇમરાન ખાને કહ્યું હતું કે, હોંગકોંગના વિરોધ પ્રદર્શનની હેડલાઇન્સ બનાવતી આંતરરાષ્ટ્રિય મીડિયા કાશ્મીર જેવા ગંભીર સંકટને અવગણી રહી છે. ઇમરાને ફરી એકવાર યુએન ચાર્ટર મુજબ કાશ્મીર મુદ્દાના સમાધાનના સમાધાનની હિમાયત કરી છે.
વિશ્વના નેતાઓનું સમર્થન મેળવવામાં નાકામ રહ્યા છે ઈમરાન ખાન
આ પહેલા ઇમરાન ખાને વૈશ્વિક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, તેમને કાશ્મીર મુદ્દે વિશ્વના નેતાઓનું પૂરતું સમર્થન મળ્યું નથી. આ સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજથી બે દિવસીય ભારત પ્રવાસ પર આવી રહ્યા છે.
ભારત પ્રવાસે ચીનના રાષ્ટ્રપતિ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11-12 ઓક્ટોબરના રોજ ભારતની મુલાકાતે છે. આ સમય દરમિયાન, તેઓ તમિલનાડુના મહાબલિપુરમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બીજી અનૌપચારિક શિખર બેઠક કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાનના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બીજી અનૌપચારિક સમિટ માટે 11-12 ઓક્ટોબરના રોજ ભારતના ચેન્નાઈની મુલાકાત લેશે.