ચીન હવે મ્યાનમારથી ઘુસીને ભારતને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે. જે મામલે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે ભારતે હવે વધારે સચેત રહેવાની જરૂર છે
ભારતને ઘેરવા ચીનની વધું એક ચાલ
ડિફેન્સ જનરલ બિબિપ રાવતે સરકારને કરી જાણ
મ્યાનમારથી ચીને ભારતને ઘરવાના પ્રયાસ કર્યા શરૂ
પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ બાદ હવે ચીન મ્યાનમારથી ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં મ્યાનમાર જે બદલાવ આવ્યા છે. ત્યારબાદથી ચીનમાં મ્યાનમારે ઘુસવાનું શરૂ કરી દીધું છે. જેથી ભારતે આ પરિસ્થિતીને ખુબજ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
મ્યાનમારમાં પ્રતિબંધો વચ્ચે ચીનની મહત્વની યોજનાને વેગ
પૂર્વોત્તર ભારતમાં સામે આવતા પડકારો મામલે જનરલ બિપિન રાવતે કહ્યું કે મ્યાનમારમાં પ્રતિંબંધો વચ્ચે ચીન તેની મહત્વની યોજના બેલ્ડ એંડ રોડ ઈનિશિએટિવને વધારે વેગ આપી રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું મ્યાનમાર સાથે પરિસ્થિતી સામાન્ય થાય તે આપણા ભવિષ્ય માટે સારુ રહેશે કારણકે મ્યાનમાર સાથે આપણે ઐતિહાસિક અને સાસ્કૃતિક સંબંધો સાથે જોડાયેલા છે.
પૂર્વોત્તર ભાગોમાં ચીનની નજર
વઘુમાં જનરલ બીપીન રાવતે કહ્યું ભારતનો પૂર્વોત્તર ભાગ સિલીગુડી કોરિડેટ તેમજ ચિકન નેક દેશના બાકી ભાગો સાથે જોડાયેલો છે. જેનું રણનૈતિક મહત્વ ઘણું વધારે છે. પરંતુ ચીન ત્યા હવે પોતાની નજર નાખીને બેઠું છે.
રોહિગ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી
અલગ અલગ જગ્યાએ રોહિંગ્યા શરણાર્થિઓની વધતી જતી સંખ્યાને પણ તેમણે ચિંતાનો વિષય ગણાવ્યો છે. જનરલ બિપિન રાવતે કહ્યું કે કટ્ટરપંથી ઈસ્લામી સમૂહ આ વિસ્તારમાં અશાંતિ ફેલાવી શકે છે. સાથેજ તેમણે કહ્યું કે ચીન સિવાય પૂર્વોત્તર ક્ષેત્રમાં ભારતની ખુલ્લી સરહદો પર ઘુસણખોરી અને ડ્રગ્સની તસ્કરી થતી આવે છે. જે ચિંતાનો વિષય છે.
પૂર્વોત્તરમાં સુરક્ષા વધારવાની જરૂર
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જનરલ બિપીન રાવત દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં સુરક્ષા વધારવી વધારે જરૂરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે આ વર્ષે પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉગ્રવાદી ગતિવિધીઓ ઘટી છે. ઉપરાંત બાગ્લાદેશ અને ભૂટાન જેવા પાડોસી દેશોમાં પણ ઉગ્રવાદીઓની ગતિવીધી વધતી સુરક્ષાને લઈને ઘણી ઘટી છે.