ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે ક્યાંક ભારત સરકાર તાઈવાન સાથે સમજૂતી ન કરી તે વિચારીને જ ચીન ચિડાઈ ગયું છે અને ભારતને વિવિધ સિદ્ધાંતો યાદ અપાવી રહ્યું છે.
ભારત ચીન સરહાદ પર મહિનાઓથી તણાવ
વિવિધ અહેવાલોમાં દાવો : તાઈવાન સાથે સમજૂતી કરી શકે છે ભારત
ભારત અને ચીન વચ્ચે લદાખ સ્થિત સરહદ પર છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતીય બજારોમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શરુ થઇ ગયો છે અને ચીની પ્રોડક્ટના વેચાણ પર તેની અસર જોવા મળી રહી છે.
કેમ ગીન્નાયું ચીન ?
ભારતના બહાદુર જવાનો જ્યાં એક તરફ સીમા પર ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે ત્યાં બીજી તરફ સરકાર પણ કૂટનીતિથી ચીનને ઘેરવાના પ્રયત્ન કરી રહી છે. ચીનની સૌથી મોટી દુખતી રગ પર ભારત સરકાર પ્રહાર કરી રહી છે, તાઈવાન સાથે ભારત સરકાર નિકટતા લાવી શકે છે તે વાતથી જ ચીન ગીન્નાયું છે.
હજુ તો સરકારે નિર્ણય લીધો જ નથી
નોંધનીય છે કે ઘણા બધા અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા છે કે ભારત સરકાર હવે ચીનને હાંસિયામાં મૂકી તાઈવાન સાથે વેપાર સમજૂતીઓ કરી શકે છે. હજુ તો સરકારે તેના પર કોઈ નિર્ણય કર્યો જ નથી અને આધિકારિક રીતે તેની કોઈ જ પુષ્ટિ પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી છતાંય ચીનના પેટમાં તેલ રેડાઈ ગયું છે.
વન ચાઈના પોલીસી યાદ અપાવી
ચીની વિદેશ મંત્રાલયે આ મુદ્દે કૂદીને કહેવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વન ચાઈના પોલીસીની માન્યતા છે અને ભારત પણ તેમાં સામેલ છે. આ સિદ્ધાંત જ બીજા દેશો સાથે સંબંધો સ્થાપવાનો ચીનનો આધાર પણ આ જ પોલીસી છે. ચીનના જે પણ દેશ સાથે સંબંધ છે તે તાઈવાન સાથે આધિકારીક સમજૂતી કરે અમે તેનો વિરોધ કરીએ છે.
આ સિવાય ભારત દ્વારા માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસ મુદ્દે પણ ચીને નિવેદન આપ્યું. પ્રવક્તાએ કહ્યું કે ચીનને આશા છે કે સૈન્ય સહયોગથી શાંતિ અને સ્થિરતા વધારવામાં મદદ મળશે.