ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓની વચ્ચે કોરોનાને લઈને વર્ષ 2015માં જ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વાતના લેખિત પુરાવા છે.
ચીનીમાં કોરોનાને લઈને વર્ષ 2015માં જ ચર્ચા થઈ હતી
રિપોર્ટ મુજબ આ વાતના લેખિત પુરાવા છે
નવા યુગનું નવુ જેનેટિક હથિયાર
કોરોનાના ક્યાંથી આવ્યો કેવી રીતે તેણે આખી દુનિયામાં વિનાશ કર્યો જેવા અનેક સવાલોના જવાબ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. ચીનની લેબમાં કોરોનાને વિકસિત કરવાના તમામ દાવા પર યુનાઈટેડ નેશન્સની ટીમ પણ કોઈ પરિણામ નથી આપી શકી. આ દરમિયાન વીકેન્ડ ઓસ્ટ્રેલિયને પોતાના એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરી દુનિયાભરને હચમચાવી નાંખી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓની વચ્ચે કોરોનાને લઈને વર્ષ 2015માં જ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વાતના લેખિત પુરાવા છે. ચીની વૈજ્ઞાનિકોએ કોરોનાને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવા પર વિચાર વિમર્શ કર્યુ હતુ. આ દસ્તાવેજો ત્યારના છે જ્યારે દુનિયામાં સાર્સ મહામારી પેદા નહોંતી થઈ.
નવા યુગનું નવુ જેનેટિક હથિયાર
ચીની સેનાના વૈજ્ઞાનિકો સાર્સ કોરોના વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી રહ્યા હતા. તેમના જણાવ્યાનુંસાર આ નવા યુગનું જૈવિક હથિયાર હશે. જેને કૃત્રિમ રીતે નવા રુપમાં માણસોમાં ઉભરનારા જીવલેણ વાયરસમાં ફેરવી શકાય છે. એટલે કે ચીન ત્રીજું વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારોના માધ્યમથી લડવાની તૈયારી 5 વર્ષ પહેલાથી કરી રહ્યુ હતુ. આ બાદ કોવિડ 19 મહામારી ડિસેમ્બર 2019માં અસ્તિત્વમાં આવી હતી.
ચીન ત્રીજુ વિશ્વ યુદ્ધ કોરોનાથી લડવા માંગતુ હતુ
ઓસ્ટ્રેલિયન વીકેન્ડના આ રિપોર્ટને news.com.au પર પબ્લિશ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલીસી ઈન્સ્ટીટ્યૂટ(ASPI)ના કાર્યકારી ડિરેક્ટર પીટર જેનિંગ્સે જણાવ્યુ છે કે આ રિપોર્ટ એ દાવાના મામલામાં એક મોટી લિંક હોઈ શકે છે. જેને લઈને લાંબા સમયથી આશંકાઓ વ્યક્ત કરાયી રહી છે. એ સ્પષ્ટ રીતે નક્કી થાય છે કે ચીની વૈજ્ઞાનિકો કોરોનાના અલગ અલગ સ્ટ્રેનને સૈન્ય હથિયારો તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે આ મિલિસ્ટ્રી વાયરસ ભૂલથી બહાર આવી ગયો. આ જ કારણ છે કે ચીન કોઈ બહારની તપાસને લઈને અસહમતિ વ્યક્ત કરી રહ્યું છે.
ચીની દસ્તાવેજો પર કોણ બતાવશે સત્ય?
અનનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીસ ઓફ મેનમેડ વાયરસ નામની જિનેટિક બાયોવેપન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારોના માધ્યમથી લડવામાં આવશે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટના જણાવ્યાનુસાર ચીની દસ્તાવેજો નકલી નથી. તેવામાં સવાલ એ છે કે 5 વર્ષ પહેલા આ પ્રકારની વાત કરનારા અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની વાતોમાં કેટલી ગંભીરતા હતી?
2019થી દુનિયામાં ત્રાસ વર્તાવી રહ્યો છે કોરોના
SARS-Co V-2 વર્ષ 2019ના અંતમાં આવેલો કોરોના દુનિયામાં ત્રાસ વર્તાવી રહ્યો છે. તેના બદલતા સ્વરુપે ઘણુ નુકસાન પહોંચાડ્યુ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં દુનિયા ભરમાં લગભગ 127 મિલિયન કોરોના કેસ રજિસ્ટર કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે તેની ઉત્પત્તિનું કારણ અને જગ્યા હજું સુધી શોધી શકાયી નથી.