ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આવેલ અનાથઆશ્રમાં રહેતા બાળકોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમા તેમણે પોતાનું આધાર કાર્ડ બનાવી આપવા પીએમ મોજીને અપીલ કરી છે.
અનાથ આશ્રમમાં રહેતા બાળકોએ PM મોદીને લખ્યો પત્ર
પત્રમાં તેમણે આધારકાર્ડ બનાવી આપવા કરી માંગ
બાળકોને સમાજમાં જોઈએ છે પોતાની ઓળખ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આવેલ અનાથ આશ્રમમાં રહેતા બાળકોએ પોતાની ઓળખાણ માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમા તેમણે પીએમ મોદીને આધાર કાર્ડ બનાવી આપવા માટે અપીલ કરી છે. બાળકોએ પોસ્ટકાર્ડ લખીને પીએમ મોદીને આધારકાર્ડ બનાવી આપવાની અપીલ પણ કરી છે.
બાળકો જોઈ પીએમ મોદીના જવાબની રાહ જોઈ રહ્યા છે
પોસ્ટકાર્ડમાં બાળકોએ લખ્યું છે કે પીએમ અંકલ તમે અમારા આધારકાર્ડ બનાવી આપો જેથી અમારા જેવા બાળકોને સમાજમાં એક નવી ઓળખ મળે. બાળકોએ પોસ્ટકાર્ડ પીએમ મોદીને તો મોકલી દીધા છે અને હવે તેઓ તેમના જવાબની રાહ જોઈ રહ્યા છે.
આધારકાર્ડ બનાવી આપવા બાળકોની અપીલ
પ્રયાગરાજમાં આવેલ કટઘરમાં આ અનાથઆશ્રમ આવેલું છે જ્યા છેલ્લા ઘણા સમયથી બાળકો રહી રહ્યા છે. આ અનાથ આશ્રમ સમાજસેવી સંસ્થાઓ ચલાવી રહી છે. જે લોકો આ અનાથઆશ્રમનું ધ્યાન રાખી રહ્યા છે. તે લોકોજ આ બાળકોને માતાપિતાની જેમ રાખે છે. પરંતુ હવે આ બાળકોએ તેમના આધારકાર્ડ માટે અપીલ કરી છે.
સ્કોલરશીપનું ફોર્મ ભરવા પણ આધારકાર્જ જરૂરી
બાળકોનું કહેવું છે કે સમાજમાં અમારી પણ અલગ ઓળખાણ હોવી જોઈએ. જેથી તેમણે ડાયરેક્ટ પીએમ મોદીને પત્ર લખ્યો છે. જો આધાર કાર્ડ બનશે તો બાળકોને ઘણો ફાયદો થઈ શકશે. જેમા પહેલા તો દરેક બાળકને પોતાની એક અલગ ઓળખ મળશે. સાથેજ સરકાર દ્વારા જે સ્કોલરશીપ આપવામાં આવે છે. તેનું ફોર્મ પણ બાળકો ભરી શકશે. કારણે આધારકાર્ડ વગર સ્કોલરશીપનું ફોર્મ નથી ભરાતું.
કુલ 10 કરતા વધું બાળકો રહે છે અનાથ આશ્રમમાં
ઉલ્લેખનીય છે કે આ અનાથઆશ્રમમાં 10 કરતા પણ વધારે બાળકો રહે છે. જેઓ હાલ પુોતાની ઓલખ ઈચ્છી રહ્યા છે. જેથી આધારકાર્ડ દ્વારા બાળકોને તેમની ઓળખ મળે સાથેજ બાળકોને અન્ય ફાયદાઓ પણ મળી રહે. જેથી સમગ્ર મામલે બાળકોએ હવે ડાયરેક્ટ પીએમ મોદીને પત્ર લખ્યો કે તેઓ તેમની મદદ કરે