રાજકોટમાં મુખ્ય સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ, કહ્યું આજે નવી SOP કોર કમિટીની બેઠક બાદ જાહેર થશે
મુખ્ય સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ
રાજકોટમાં બેઠક બાદ પંકજ કુમારનું નિવેદન
આજે નવી SOP કોર કમિટીની બેઠક બાદ જાહેર કરાશે
રાજકોટમાં મુખ્ય સચિવ પંકજ કુમારે ની પત્રકાર પરિષદ કરી હતી જેમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે રોજ સાંજે કોર કમિટીની બેઠક મળે છે જેમાં કોરોનાની દૈનિક પરિસ્થિતિ અંગે સમીક્ષા થાય
સંક્રમણ વધતુ અટકાવવા માટેના પ્રયાસ અંગે સૂચનો રખાય છે. દૈનિક 3 જિલ્લાઓની સમીક્ષા CS દ્વારા કરાય છે. આજે નવી SOP કોર કમિટીની બેઠક બાદ જાહેર કરાશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારની આ નવી SOP કડક નિયંત્રણો વાળી હશે.જ્યાં કેસ વધશે ત્યાં નિયંત્રણ કડક કરાશે તેમજ નગરપાલિકાઓમાં પણ મનપા માફક પગલાં લેવાશે તેવો સંકેત પણ મુખ્ય સચિવ પંકજ કુમારે આપ્યો છે.
સાજે કોર કમિટીની બેઠક
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે.કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરશે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે.
નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે
સામાજિક, રાજકીય પ્રસંગમાં નિયમો કડક બની શકે
રાજ્યના 12થી વધુ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લગાવવા વિચારણા
હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં નવા નિયમો લાગાવામાં આવી શકે
સરકારી, ખાનગી ઓફિસમાં 50 ટકા મર્યાદા માટે વિચારણા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24485 કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ નોંધાયા છે.