શું આવી છે અંતરિયાળ વિસ્તારમાં સ્વાસ્થ્ય સુવિધા? નસવાડીના ગઢ બોરીયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે
આરોગ્ય કેન્દ્રનું જ `આરોગ્ય' ખરાબ!
જ્યાં જનની આપે છે જન્મ ત્યાં માથે મંડરાય છે મોત!
ખંડેર હાલતમાં ચાલે છે આરોગ્ય કેન્દ્ર
માણસ બીમાર થાય તો,.દોડીને દવાખાને કે, હોસ્પિટલ પહોંચે.પરંતુ જ્યાં બીમારીની સારવાર થવી જોઈએ.ત્યાં ગમે ત્યારે મોત આવી શકે તેવી સ્થિતિ હોય તો. આવા જ એક સામુહિક આરોગ્ય કેન્દ્રના વિકાસની તસવીર આજે અમે આપને બતાવીશું.જેને જોયા બાદ તમે ખુદ કહેશો કે, શું આ માથે ઝળુંબતા મોતને વિકાસ કહે છે ભાજપની સરકાર?
છત તુટેલી છે, સ્લેબના પોપડા પડે છે
જ્યાં જનની આ દુનિયામાં એક નવા ફૂલને જન્મ આપે છે.ત્યાં માથે મોત મંડરાતું હોય તો તેનાથી વિશેષ વિકાસ શું હોઈ શકે? અહીં આ દ્રશ્યોને જોયા બાદ તમને એવું લાગતું હશે કે, અમે આ ખંડેરને વિકાસ ગણાવીએ છીએ.પરંતુ વિકાસ અહીં એવા લોકો માટે શબ્દ વાપર્યો છે.જેઓ રાત-દિવસ સભાઓમાં, રેલીઓમાં, જાહેરાતોમાં વિકાસની વાતો કરે છે.પરંતુ હકીકત નસવાડીના ગઢ બોરીયાદના આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોઈ શકાય છે.વર્ષો પહેલા સુવિધાઓથી સજ્જ બનેલું આરોગ્ય કેન્દ્ર આજે ખંડેર બની ગયું છે.જે ઓરડામાં મહિલાઓ બાળકને જન્મ આપે છે ત્યાં માથા ઉપર પોપડા પડી રહ્યા છે.એટલે કે, બાળક જન્મે ત્યારે જ તેના માથા પર મોતની જેમ આ ખંડેર છત મંડરાતી રહે છે.ખાસ વાત તો એ છે કે, અનેક રજૂઆતો કરવા છતાં એકપણ વખત આ જર્જરિત આરોગ્ય કેન્દ્રનું સમારકામ નથી થયું.
અનેક રજૂઆતો છતાં તંત્ર નથી આપતું કોઈ ધ્યાન
નસવાડી એટલે કે, આદિવાસી પંથક.તેવામાં ગરીબ આદિવાસી મહિલાઓ સારી હોસ્પિટલમાં સારવાર તો ન મેળવી શકે.પરંતુ તેમને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની તમામ સુવિધાઓ સાથે સારવાર મળી શકે છે.પરંતુ આ ગઢ બોરીયાદના આરોગ્ય કેન્દ્રમાં હાલ સુવિધાઓનો તો અભાવ છે જ.પરંતુ તેની સાથે-સાથે પ્રસુતી માટે આવતી મહિલા અને તેના સંતાનના જીવને પણ જોખમ છે.પરંતુ સરકારનું કે, સ્થાનિક તંત્રના પેટનું પણ પાણી નથી હલી રહ્યું.
શુ આને કહે છે સરકાર વિકાસ ?
સામુહિક આરોગ્ય કેન્દ્રની આ હાલતને જોતા અહીં સવાલ એ થાય છે કે, શું આ ખંડેર આરોગ્ય કેન્દ્રને વિકાસ કહે છે સરકાર? સ્લેબનું પોપડું માથે પડવા પર બાળકને કે માતાને કાંઈ થયું તો કોણ જવાબદાર? કેમ આ સામુહિક આરોગ્ય કેન્દ્રની ખંડેર હાલત છે? કેમ આરોગ્ય વિભાગ દ્વારા રામુહિક આરોગ્ય કેન્દ્રનું સમારકામ ન કરાયું? સવાલો અહીં લોકોના મનમાં અનેક છે.પરંતુ આશા રાખીએ કે, વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ બાદ સરકાર આ દિશામાં કોઈ પગલા ભરશે.અને આ ખંડેર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ફરી વિકાસની નવી છત મળશે.