અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી ચાતુર્માસની શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે આ ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે.
અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી ચાતુર્માસની શરૂઆત થાય છે
આ ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે
પુરાણોમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે
અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 10 જુલાઇ 2022 રવિવારે એટલે ચાતુર્માસની શરૂઆત થાય છે જે ચાર મહિના સુધી રહેશે.
આ ચાતુર્માસનું હિન્દૂ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ 4 મહિનાઓમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય તંદુરસ્ત, સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોક પ્રાપ્ત કરી શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિંદ્રાની મુદ્રામાં હોય છે
માન્યતા છે કે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિદ્રાની મુદ્રામાં જતા રહે છે અને દેવઉઠી અગીયારસ પર તેમની નિંદ્રા ખુલે છે. દેવ શયનથી દેવ ઉઠવા અથવા જાગવાના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. ચાર મહિનાના અ સમયગાળને ભલે શુભ કાર્યો કરવા માટે યોગ્ય ન માનવામાં આવતા હોય. પરંતુ ધ્યાન અને દષ્ટિથી આ ખૂબ જ મહત્વપૂર્ણ અંતરાળ હોય છે.
આ 4 મહિના ધ્યાન અને સાધનાનું મહત્વ
શાસ્ત્રો અનુસાર ચાતુર્માસ વખતે ધ્યાન અને સાધનામાં લીન થઈને દેવોને પ્રસન્ન કરી શકાય છે. સાથે જ તેનાથી શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. ચાતુર્માસમાં તમે શું કરો છો અને શું નહીં તેનું પણ ખાસ મહત્વ છે.
ચાતુર્માસમાં ભૂલથી પણ ન કરો આ કાર્ય
શાસ્ત્રો અનુસાર દેવોના સુઈ જવા પર શુભ કાર્યોને કરવામાં આવતા નથી. ચાતુર્માસ વખતે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.
આ સમય દરમિયાન કોઈ પણની નિંદા, ચુગલી અથવા કોઈની સાથે છેતરપિંડી ન કરવી. જોકે આવા કાર્યો ચાતુર્માસ જ નહીં કોઈ પણ માસમાં ન કરવા જોઈએ.
માન્યતા છે કે જો તમે ચાતુર્માસ વખતે શરીર પર તેલ લગાવો છો તો એવામાં તમારે ધનની કમીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આ સમયે તાંબાના વાસણોમાં ભોજન કરવાથી બચવું જોઈએ.
તુલસી સાથે ભગવાન વિષ્ણુનો સંબંધ માનવામાં આવે છે અને તેનું અપમાન શ્રી હરિને નારાજ કરી શકે છે. તુલસીની સાંજે પુજા ન કરવી અને ભૂલથી પણ સાંજે તેના પત્તા ન તોડવા.
ચાતુર્માસ વખતે કરો આ કામ
પીપળાનું ઝાડ રોપો, પીપળા પર દરરોજ જળાભીષેક કરો, પીપળાની પરિક્રમા કરો, ઉત્તમ ધ્વનિ વાળો ઘંટ મંદિરમાં ચઢાવો, બ્રાહ્મણોનું યોગ્ય સન્માન કરનાર વ્યક્તિ પર ભગવાન શ્રી હરિની કૃપા દષ્ટિ બની રહે છે.
આ મહિનામાં ભગવાન વિષ્ણુ નિદ્રા મુદ્રામાં હોય છે અને તેમની ઉપાસના માટે તમે પણ જમીન પર સુઈ શકો છો. કહેવાય છે કે આ રીતે તેમની કૃપા મેળવવા માટે મદદ કરે છે.