25 જૂનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી, સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બરે જામીન આપ્યા હતા
તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ
SITએ હાઇકોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ
ગંભીર આરોપો અંગેના પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા
ગુજરાત રમખાણો સાથે જોડાયેલ ષડયંત્ર મામલે ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી 2 સપ્ટેમ્બરના રોજ જામીન મળી ગયા છે. પણ મુશ્કેલી તિસ્તા સેતલવાડનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ SITએ હાઇકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગંભીર આરોપો અંગેના પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. સંજીવ કુમાર અને આરબી શ્રીકુમારે તિસ્તા સેતલવાડ સાથે મળી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવાના પ્રયાસ કર્યા હતા. બન્ને અધિકારીઓ ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હતા.
25 જૂનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ
આદેશ સંભળાવતા ચીફ જસ્ટિસે કહ્યુ કે, તીસ્તાનો મામલો જ્યાં સુધી હાઈકોર્ટની પાસે છે, ત્યાં સુધી તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે. 25 જૂનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તાને મુંબઈની ધરપકડ કરી હતી. 30 જૂલાઈના રોજ નિચલી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.તીસ્તા ધરપકડ બાદથી અથવા તો રિમાંડ અથવા કસ્ટડીમાં રહી. તેમને હવે જેલમાં રાખી શકાય નહીં.
ગુજરાત સરકારે દાખલ કર્યું હતું એફિડેવિટ
30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને તીસ્તાના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે, તીસ્તા વિરુદ્ધ FIR ન ફક્ત સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત છે, પણ પુરાવા દ્વારા સમર્થિત છે. અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં FIR ને યોગ્ય ઠેરવતા તેમની સામગ્રીને રેકોર્ડમાં લાવવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે, અરજીકર્તાએ રાજકીય, નાણાકીય અને અન્ય ભૌતિક લાભ મેળવવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કૃત્ય કર્યું હતું.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ગુજરાત પોલીસે કરી હતી ધરપકડ
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપનારી SIT રિપોર્ટ વિરુદ્ધ અરજીને 24 જૂનના રોજ રદ કરી હતી . અરજી ઝાકિયા ઝાફરીએ દાખલ કરી હતી. ઝાકિયા ઝાફરીના પતિ અહસાન ઝાફરીનું આ રમખાણોમાં મોત થયું હતું.
નરેન્દ્ર મોદીને બદનામ કરવા સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં ખુલાસો થયો હતો. આ અગાઉ સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે બાદમાં રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો પણ ખુલાસો થયો હતો. જેને લઈ હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી અને તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવ્યા છે.
અગાઉ પણ થયો હતો મોટો ખુલાસો
ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારનો ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.