શોધકર્તાઓનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે અસામાન્ય ઠંડીથી 6,55,400 લોકોના મોત થાય છે તો વધારે ગરમીથી 83,700 લોકોના મોત થાય છે.
ભારતમાં બદલાતા તાપમાનના કારણે વધી રહી છે મોતની સંખ્યા
દર વર્ષે થતા મોતનો આંકડો 7 લાખથી પણ વધારે
દર વર્ષે અસામાન્ય ઠંડીથી 6,55,400 લોકોના મોત થાય છે
વધારે ગરમીથી 83,700 લોકોના મોત થાય છે
શોધકર્તાઓનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે અસામાન્ય ઠંડીથી 6,55,400 લોકોના મોત થાય છે તો વધારે ગરમીથી 83,700 લોકોના મોત થાય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વૈશ્વિક મોતના 9.43 ટકા ભાગ માટે અસામાન્ય ઠંડી અને ગરમી જવાબદાર છે. તેમનું કહેવું એમ પણ છે કે 1 લાખમાંથી 74 લોકોના મોત વધારે ઠંડીના કારણે થતા હોય છે. ભારતમાં અસામાન્ય ઠંડી અને ગરમીના કારણે લગભગ દર વર્ષે 7,40,000 લોકોના મોત થાય છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનના કારણે થનારા ગ્લોબલ વોર્મિંગથી ભવિષ્યમાં મોતની સંખ્યા વધી શકે છે.
આ વર્ષમાં કરાયું છે અધ્યયન
શોધકર્તાનું કહેવું છે કે 2000થી લઈને 2019ની વચ્ચે દુનિયામાં મોત અને તાપમાનના આંકડાનું અધ્યયન કરવાથી આ પરિણામ મળ્યું છે. આ સમયે દરેક દશકમાં વૈશ્વિક તાપમાનમાં 0.26 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. લેંસેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત અધ્યયનના અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે દુનિયામાં વધારે ગરમી અને વધારે ઠંડી પડી રહી છે.
મૃત્યુદર પર જોવા મળી રહી છે આ અસર
આંકડા કહે છે કે મૃત્યુદર પર અસામાન્ય તાપમાનની ભૌગોલિક અંતર જોવા મળી શકે છે. પૂર્વી યૂરોપ અને આફ્રિકાના ઉપ સહારા રેગિસ્તાનમાં વધારે ઠંડી અને ગરમીના કારણે સર્વાધિક મોત થાય છે. ઓસ્ટ્રેલિયાના મોનાશ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ જાણ્યું છે કે અસામાન્ય તાપમાનના કારણે દુનિયાભરમાં દર વર્ષે 50 લાખથી વધારે મોત થાય છે. બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે 2000થી 2019ની વચ્ચે દુનિયાના દરેક ક્ષેત્રમાં ગરમીના કારણે મોતની સંખ્યામાં મોટો વધારો થયો છે.