ઘરમાં રહેલા તુલસીના છોડનું અચાનક સુકાઈ જવું, કે અચાનક લીલા-છમ થઈ જવું આગામી ઘટનાઓનો સંકેત આપે છે.
તુલસીને માનવામાં આવે છે માતા લક્ષ્મીનો અંશ
વાસ્તુ અનુસાર તુલસીને આ રીતે લગાવો
તેના સુકાવવા પર રાખો ખાસ ધ્યાન
હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનો અંશ માનવામાં આવે છે. ધર્મ, જ્યોતિષ ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)માં પણ તુલસીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેના ઘરમાં તુલસી રહે છે અને રોજ તેની પૂજા કરવામાં આવે છે. ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આ ઉપરાંત તુલસીનો છોડ વાતાવરણમાં સકારાત્મકતા પણ લાવે છે. માટે દરેક ઘરમાં યોગ્ય જગ્યા પર તુલસીનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે.
જરૂર પાલન કરો આ નિયમોનું
તુલસીનો છોડ લગાવવા પર તેની સાથે જોડાયેલા અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેવા કે તુલસીના છોડને ક્યારેય ગંદા હાથથી ન સ્પર્શ કરવો જોઈએ. સાથે જ ચપ્પલ પહેરીને તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે. જેને હંમેશા નહાઈને જ સ્પર્શ કરવો જોઈએ. તે ઉપરાંત તુલસીના છોડમાં ક્યારેય રવિવારે અને એકાદશીએ જળ ન ચઢાવવું જોઈએ. આ દિવસે તુલસીજી ભગવાન વિષ્ણુ માટે વ્રત કરે છે અને જળ ચઢાવવાથી વ્રત તૂટી જાય છે. આ ઉપરાંત રોજ સાંજે તુલસીના છોડની નીચે દિવો કરવો જોઈએ.
તુલસીમાં આ ફેરફાર છે ખતરાના સંકેત
ઘરમાં લાગાવવામાં આવેલો તુલસીનો છોડ ન ફક્ત ઘરના લોકોને આ સંકટથી બચાવે છે પરંતુ તે આગામી શુભ-અશુભ ઘટનાઓનો સંકેત પણ આપે છે. માટે તુલસીના છોડમાં અચાનક ફેરફાર જોવા મળે તો તેની અવગણના ન કરો.
તુલસીના છોડનું સુકાઈ જવું
ઘરમાં લગાવવામાં આવેલી તુલસી જો અચાનક સુકાવવા લાગે તો તે કોઈ મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે. એવામાં સતર્ક રહેવું અને તરત સુકાયેલા છોડને કાઢીને બીજો છોડ લગાવી દેવો. સાથે જ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ.
નવા છોડના પાન ખરી પડે તો...
જો ઘરમાં તુલસીનો નવો છોડ લગાવ્યો છે અને તે 2 દિવસમાં જ સુકાઈને ખરી પડે તો તે પિતૃ દોષનો સંકેત છે. પિતૃ દોષના કારણે ઘરમાં ઝગડા પણ થાય છે. જો આ બન્ને સંકેત મળી રહ્યા છે તો તત્કાલ પિતૃ દોષ દૂર કરવાના ઉપાયો કરી લો.
તુલસી અચાનક લીલી-છમ થઈ જાય તો...
તુલસીનો છોડ જો અચાનક લીલો-છમ થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કોઈ સુખદ ઘટનાનો પૂર્વ સંકેત આપે છે.