એક બાજૂ વરસાદી માહોલ છે, ત્યારે આવા સમયે ચંડીગઢમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં શાળાના ગ્રાઉન્ડમાં આવેલું પીપળાનું ઝાડ પડી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ચંડીગઢમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી
શાળાના પરિસરમાં આવેલુ પીપળાનું ઝાડ પડ્યું
એક બાળકનું મોત, કેટલાય બાળકો થયા ઈજાગ્રસ્ત
ચંડીગઢમાં એક સ્કૂલમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં ઝાડ પડવાથી કેટલાય બાળકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં એક બાળકનું મોત પણ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે બાળકો લંચ ટાઈમમાં ઝાડની પાસે રમી રહ્યા હતા. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર 9માં આવેલી શાળામાં બની હોવાનું કહેવાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો વિશાળ ઝાડ લગભગ 250 વર્ષ જૂનુ તથા 70 ફુટ ઉંચુ હતું. તેની પાસે લંચ ટાઈમમાં મોટી સંખ્યામાં બાળકો રમી રહ્યા હતા. કોઈને પણ કંઈ શંકા જાય તે પહેલા ઝાડ બાળકો પર પડ્યું, જેમાં એક બાળકનું મોત થઈ ગયું.
સૂત્રોએ જાણકારી આપી છે કે, ઘાયલ બાળકોને તાત્કાલિક પીજીઆઈ ચંડીગઢ અને સેક્ટર 32માં આવેલી હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા છે. તો વળી આ દુર્ઘટનાની વિગતો મળતા બાળકોના વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા અને સ્કૂલ ગેટ બહાર ભારે હોબાળો કર્યો હતો. અહીં ઉલ્લેનિય છે કે, ગરમીની રજાઓ બાદ 1 જૂલાઈથી ફરી શાળાઓ ખુલી હતી. સ્કૂલમાં રાહત અને બચાવ કાર્ય ચાલું છે. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના ચંડીગઝના કાર્મેલ કોન્વેંટ સ્કૂલની છે. કાર્મેલ શહેરની સૌથી જૂની સ્કૂલોમાંની છે. આ ઘટના બાદ લગભગ 14 જેટલા બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યારે એક બાળકને ડોક્ટર્સે મૃત જાહેર કર્યો હતો.
3 બાળકની હાલત ગંભીર
કહેવાય છે કે, એક બાળક અને એક લેડી કંડક્ટરની હાલત ગંભીર છે. અમુક ઘાયલ બાળકોને સેક્ટર 16માં આવેલી સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પીપળાનું ઝાડ 70 ફુટ ઉંચુ અને 250 વર્ષ જૂનુ હોવાનું કહેવાય છે. જિલ્લા પ્રશાસન દ્વારા તે સંરક્ષિત હતું. આ ઘટનામાં ત્રણ બાળકોની હાલત ગંભીર છે. જેની સારવાર જીએમએસએચ-16માં ચાલી રહી છે. સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ બાળકોની સુરક્ષાની જવાબદારી શાળા યોગ્ય રીતે ઉઠાવતી ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સ્કૂલ પરિસરમાં બાકીના બાળકોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી ઝાડને હટાવાનું કામ ચાલી રહ્યું છે.