ચંદ્રયાન -2 લેંડર 'વિક્રમ' નો સંપર્ક કરીને તેની અંદરના રોવર 'પ્રજ્ઞાન'ને બહાર કાઢીને ચંદ્રની સપાટી પર ચલાવવાની શક્યતા દરેક પસાર થતા દિવસ સાથે નબળી પડી રહી છે. નોંધનીય છે કે, ગત સાત સપ્ટેમ્બરના રોજ 'સોફ્ટ લેન્ડિંગ' ની પ્રક્રિયા દરમિયાન વિક્રમનો અંતિમ ક્ષણે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો તે 'સોફ્ટ લેન્ડિંગ' કરવામાં સફળ થયું હોત, તો રોવર તેમાંથી નીકળી ગયું હોત અને ચંદ્ર સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગોને અંજામ આપી શક્યા હોત.
માત્ર એક અઠવાડિયું રહ્યું બાકી
લેન્ડરને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિગ' માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેની અંદર બંધ રોવરનો જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ જેટલું છે. સાત સપ્ટેમ્બરની ઘટનાને લગભગ એક અઠવાડિયાનો સમય વીતી ગયો છે અને હવે ઇસરોને માત્ર એક અઠવાડિયું બાકી છે. ઇસરોએ કહ્યું હતું કે તે 14 દિવસ સુધી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે.
સંપર્ક કરવાની સંભાવના ઘટતી જાય છે
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના વૈજ્ઞાનિકોના તમામ પ્રયત્નો છતાં, લેન્ડર સાથે હજી સુધી કોઇ સંપર્ક કરી શકાયો નથી. જો કે,ચંદ્રયાન-2ના ઓર્બિટરનું 'હાર્ડ લેન્ડિગ' થતાં ખબર પડી અને તેની થર્મલ ઇમેજ મળી શકી.
ભારતના અંતરિક્ષ વૈજ્ઞાનિક લેન્ડર સાથે સંપર્ક કરવાના દરરોજ પ્રયાસ હાથ ધરવામાં આવે છે પરંતુ સમય પસાર થતાંની સાથે જ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની સંભાવના ઓછી થતી જાય છે.
ઈસરો વિક્રમ સાથે કેવી રીતે સંપર્ક સાધી શકે?
અવકાશમાં સંપર્ક સાધવા માટે S બેન્ડ (માઇક્રોઇવેવ) અને L બેન્ડ (રેડીઓ વેવ) ના વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે. હજી સુધી લેન્ડર સાથે સંપર્ક તૂટવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ પાવર ફેલીયરના કારણે આમ થયું હોવાનું મનાય છે. આમ થવાથી લેન્ડર ચંદ્રની સપાટી સાથે નિયત ઝડપ કરતા વધુ ઝડપે અથડાયું હોવાની શંકા છે જેનાથી લેન્ડરને નુકશાન થયું છે.
આ બેન્ડના તરંગો ૧. પૃથ્વી પરથી અને ૨. ઓરબીટર પરથી એમ બંને રીતે છોડવામાં આવી રહ્યા છે જેથી કદાચ લેન્ડર તેને રીસીવ કરીને રીસ્પોન્ડ કરે. કમનસીબે લેન્ડરે આ તરંગો ઝડપી લેવા માટે તેના એન્ટેના ઉભી દિશામાં હોય તે જરૂરી છે. એન્ટેના જમીનથી સહેજ પણ ઉભા હશે તો તે તરંગો ઝીલી શકશે. પરંતુ કદાચ આ એન્ટેના ચંદ્રન સપાટીમાં ખુપી ગયા હોય તેવી સંભાવના છે. જો આમ હોય તો ઈસરોને સંપર્ક સાધવો અશક્ય બની જાય છે.
ઓરબીટરની ભૂમિકા અગત્યની
ઓરબીટર નજીક હોવાથી વારંવાર જયારે પણ તે લેન્ડરની નજીકથી પસાર થશે ત્યારે તે સિગ્નલનો મારો ચલાવશે. આમ ૨૧મી સપ્ટેમ્બર પહેલા જો એ સિગ્નલથી સંપર્ક સાધી શકાય તો આશા જીવંત રહે પણ જો ડેડલાઈન વીતી જાય તો સંપર્ક અશક્ય બની જશે.