માતા કી ભેંટ ભજન ગાઈને વિશ્વભરમાં જાણીતા બનેલ ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન થયું છે. સર્વપ્રિય વિહાર સ્થિત તેમનાં ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
નરેન્દ્ર ચંચલનાં નિધન પર ક્રિકેટર હરભજન સિંહે શોક વ્યક્ત કર્યો
બાળપણથી માતા પાસેથી ભજન ગાવા માટે પ્રેરિત થયા
`ચલો બુલાવા આયા હૈ' થી રાતો રાત બની ગયા હતા હસ્તી
ઘણાં સમયથી બીમાર રહેલા ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ બાળપણથી જ માતારાનીનાં ભજન ગાતા આવ્યા છે. તેમનાં ભજનો ઘેર ઘેર જાણીતા બન્યા હતા. નરેન્દ્ર ચંચલનાં નિધન પર ક્રિકેટર હરભજન સિંહે શોક વ્યક્તિ કર્યો છે. હરભજને લખ્યું કે, જાણીને ખૂબ દુઃખ થયું કે પ્રતિષ્ઠિત અને સૌનાં લાડીલા નરેન્દ્ર ચંચલ આપડી વચ્ચે નથી રહ્યાં. તેમનાં આત્માની શાંતી માટે પ્રાર્થના. તેમનાં પરિવાર પ્રતિ હાર્દિક સંવેદના. આ ઉપરાંત સિંગર દલેર મેહંદીએ પણ તેમનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
`ચલો બુલાવા આયા હૈ' થી મળી અલગ ઓળખ
નરેન્દ્ર ચંચલે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં `બેશક મંદિર મસ્જિદ તોડો ગીત' ગાયુ હતું. જે ગીત આજે પણ લોકોને યાદ છે. નરેન્દ્ર ચંચલને ફિલ્મ આશામાં ગાયેલ ભજન `ચલો બુલાવા આયા હૈ' થી અલગ ઓળખ મળી હતી. જે ગીતથી તેઓ રાતો રાત એક હસ્તી બની ગયા હતા.
માતાને માનતા હતા પહેલા ગુરુ
નરેન્દ્ર ચંચલને માતાનાં ભજનો ગાવામાં રસ એટલે વધ્યો કેમકે બાળપણમાં તેઓ તેમની માતાને માતારાનીનાં ભજનો ગાતા સાંભળતા હતા. નરેન્દ્ર ચંચલ પોતાની પહેલી ગુરુ તેમની માતાને માને છે. નરેન્દ્ર ચંચલે પ્રેમ ત્રિખા પાસેથી સંગીત શીખ્યુ અને પછી તેઓ ભજન ગાવા લાગ્યા.
કોરોના પર ગાયેલ ભજન થયુ હતું પોપ્યુલર
માર્ચ 2020માં નરેન્દ્ર ચંચલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ માં દુર્ગાનું એક ભજન ગાતા જોવા મળ્યા હતા. જેમાં તેમણે કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર ચંચલ દ્વારા જગરાતામાં ગાવામાં આવેલ તેમનો વીડિયો લોકોમાં ખૂબ પોપ્યુલર બન્યો હતો. જે ભજનમાં તેમણે ગાયુ હતું કે, ડેન્ગ્યુ ભી આયા ઔર સ્વાઇન ફ્લૂ ભી આયા, ચિકન ગુનિયાને શોર મચાયા, કિત્થે આયા કોરોના.