મહાનવમીના દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે વિધિ પૂર્વક પૂજા- અર્ચના કરવામાં આવે છે. મહાનવમી પર કન્યા પૂજનની સાથે જ નવરાત્રીનું સમાપન થાય છે. જાણો મહાનવમી પર કન્યા પૂજનનું મહત્વ.
મહાનવમી પર કન્યા પૂજનનું છે ખાસ મહત્વ
માતાજીને પ્રસન્ન કરવા આ રીતે કરો પૂજા
જાણો કન્યા પૂજનનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રીનો આજે નવમો અને છેલ્લો દિવસ છે. તેને મહાનવમી પણ કહેવામાં આવે છે. આજે માતા સિદ્ધિદાત્રીની વિધિ અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવશે. તેના બાદ દેવી સ્વરૂપ કન્યાઓનું પૂજન થશે.
મહાનવમી પર કન્યા પૂજનની સાથે જ દેવી માતાને વિદાય આપવામાં આવે છે. જો મહાનવમી પર આજે તમે પણ કન્યા પૂજન કરવાના છે તો પહેલા તેનું શુભ મુહૂર્ત અને વિધિ જાણી લો.
મહાનવમીનું શુભ મુહૂર્ત
મહાનવમી પર આજે કન્યા પૂજન દ્વારા ત્રણ ખૂબ જ ખાસ શુભ મુહૂર્ત બની રહ્યા છે. જો તમે આ શુભ મુહૂર્તોમાં કન્યા પૂજન કરો છો તો ચોક્ક્સ રીતે દેવીનો આશીર્વાદ તમને મળશે.
આજે ગુરૂ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. મહાનવમી પર આવા શુભ યોગમાં કન્યા પુજનથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
ગુરૂ પુષ્ય યોગ- 30 માર્ચે સવારે 6.14થી બીજા દિવસ સવારે 6.12 વાગ્યા સુધી
અમૃત સિદ્ધિ યોગ- સવારે 4.41થી સવારે 5.28 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- સવારે 11.45થી બપોરે 12.30 સુધી
કન્યા પૂજન વિધિ
મહાનવમીના એક દિવસ પહેલા કન્યા પૂજન માટે કન્યાઓને આમંત્રિત કરવામાં આવે છે. નવમી પર ઘરે આવનાર કન્યાઓનું પુષ્પ વર્ષાની સાથે સ્વાગત કરવામાં આવે છે.
નવ દુર્ગાના દરેક નવ નામોના જયકારા લગાવવામાં આવે છે. આ કન્યાઓના પગને દૂધથી ભરેલી થાળી કે તાસમાં મુકે અને તમારા હાથથી તેને ધોવો.
ત્યાર બાદ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. માથા પર અક્ષત, ફૂલ અને કંકુ લગાવો. પછી માતા ભગવતીનું ધ્યાન કરવા આ દેવી રૂપ કન્યાઓને ઈચ્છા અનુસાર ભોજન કરાવો. ભોજનમાં તમે શીરો, પુરી અને ચણા તેમની થાળીમાં પીરશો. ત્યાર બાદ કન્યાઓને તમારી સગવડતા અનુસાર દક્ષિણા, ઉપહાર આપો અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો.