ગુજરાતનું સૌથી મોટું પર્યાવરણ કૌભાંડ અમદાવાદમાંથી સામે આવ્યું હતું. પૈસા માટે પ્રકૃતિ સાથે ખિલવાડ થતી હોવાનું VTV News દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે નારોલ CETP મામલે VTV News દ્વારા વધુ એક ખુલાસો કર્યો છે. CETPનું મેનેજમેન્ટ કરતી કંપની પર માત્ર સાત સભ્યનો જ કબ્જો છે. NTIEMમાં 115 સભ્યને બદલે માત્ર સાત સભ્યો છે.
100 કરોડથી વધુના કૌભાંડમાં નવો ખુલાસો
CETPનું મેનેજમેન્ટ કરતી કંપની પર માત્ર સાત સભ્યનો કબ્જો
NTIEMમાં 115 સભ્યને બદલે માત્ર સાત સભ્યો
અમદાવાદના નારોલ વિસ્તારમાં CETPના પ્લાન્ટમાં એસિડના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. કેમિકલવાળા પાણીનો ગેરકાયદે નિકાલ કરવામાં આવી રહ્યો છે. એસ્ટેટ બહારની કંપનીઓ પણ CETPમાં ગેરકાયદે પાણી છોડી રહી છે. 100 કરોડથી વધુના કૌભાંડમાં VTV News રોજ નવા ખુલાસા કરી રહ્યું છે. ત્યારે હવે VTV News દ્વારા વધુ એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ સુધી CETPમાં ધુપ્પલ ચાલ્યું. છ ડાયરેક્ટર અને એક સભ્યએ NTIEM કંપની ખાનગી રીતે ચલાવી. જેણે 159 કરોડ ચૂકવ્યા તેને અંધારામાં રખાયા છે. નીતિન ઠક્કરે પોતાની કંપનીને જ મેમ્બરશીપ આપી છે. લલિત ચમારિયા, ઘનશ્યામ ત્રિવેદીએ ગેરકાયદે કનેક્શનોનો વેપાર કર્યો. એક-એક ગેરકાયદે કનેક્શનના લાખો પડાવ્યાં છે. ઘનશ્યામ ત્રિવેદીના હવે નવા CETPના રોકાણની માગ કરી રહ્યા છે. કૌભાંડીઓએ પર્યાવરણને પણ ભારે નુકશાન પહોચાડયું છે. હાઇપાવર કમિટીમાં ચમારિયા અને ત્રિવેદી સામે ફરિયાદો આવી છે. ગેરકાયદે એસિડના ટેન્કરો ઠાલવવાનો વેપલો કરનારા સામે રોષ વ્યાપ્યો છે. અમેરિકન કંપનીને સંચાલન સોંપવાનો નિર્ણય એકહથ્થુ લેવાયો છે.
સભ્યોને દર મહિને 1.35 કરોડનું નુકસાન થાય તેવો નિર્ણય કેમ કર્યો?
ત્યારે કેટલાક સવાલ થાય છે કે સભ્યોને દર મહિને 1.35 કરોડનું નુકસાન થાય તેવો નિર્ણય કેમ કર્યો? ડાયરેક્ટરો જ કંપનીમાં એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ ચાર્જ નથી ચૂકવતા. કોના આશીર્વાદથી ચાલે છે પર્યાવરણને નુકસાન કરતું કૌભાંડ? કૌભાંડીઓ પર કયા નેતાના ચાર હાથ છે? NTIEMનુ બંધારણ પણ હજુ બન્યું નથી. હાઈપાવર કમિટીએ કંપનીઓને મેમ્બર બનાવી. સભ્યોના 159 કરોડ ખંખેરી લીધા પછી ખેલ કર્યો.
કૌભાંડીઓએ નવા CETP પ્લાન્ટની માંગી મંજૂરી
મુખ્ય કૌભાંડી ઘનશ્યામ ત્રિવેદીના નામે ગ્યાસપુરમાં નવો CETP પ્લાન્ટ બનાવવા મંજૂરી માગવામાં આવી છે. નારોલમાં 3.5 કરોડ લીટર પ્રતિ દિવસની મંજૂરી માંગી છે. દાણીલીમડામાં 5 કરોડ લીટર પ્રતિ દિવસની મંજૂરી માંગી છે.
મહત્વનું છે કે, CETPનું કામ પ્રદૂષિત પાણીની ટ્રીટ કરવાનું છે. પરંતુ આના માટે CETPના મેમ્બર હોવું જરૂરી છે. કેટલીક કંપનીઓ મેમ્બરશિપ વીના જ સેટિંગ કરીને પાણીનો ગેરકાયદે નિકાલ કરી રહી છે. જેના કારણે પર્યાવરણને મોટા પાયે નુક્સાન પહોંચી રહ્યું છે. આ કૌભાંડમાં બીજુ કોઈ નહીં પરંતુ CETPના હોદ્દેદારો અને ડાયરેક્ટરનો જ સંડોવાયેલા છે. તેઓ મોટાપાયે રૂપિયા લેવાની લાલચમાં કુદરતના આપેલા અમૂલ્ય ખજાનાને લૂંટાવી રહ્યા છે.