કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બાયોલોજીકલ-ઈની વેક્સિન હાલ ફેઝ-3 માટે ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે.
ટૂંક સમયમાં આવશે દેશી કોરોના વેક્સિન
સરકારે 30 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર
બાયોલોજીકલ-ઈ વેક્સિન હાલ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે
ભારતમાં વેક્સિનની વધતી જતી જરૂરીયાત અને વેક્સિનેશનના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે હવે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજીકલ-ઈની કોવિડ વેક્સિનના 30 કરોડ ડોઝ બુક કર્યા છે. મહત્વનું છે કે કોવિડ વેક્સિનના 30 કરોડ ડોઝ બુક કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વેક્સિન હજુ ક્લિનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને 1500 કરોડ રૂપિયા અડવાન્સમાં ચુકવશે. ભારત બાયોટેકની કોવેક્સિન બાદ આ વેક્સિન ભારતમાં બનનારી બીજી વેક્સિન હશે.
આ રસીનું ઉત્પાદન ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરવામાં આવશે
મંત્રાલયનું કહેવું છે કે વેક્સિનનું પ્રોડક્શન અને સ્ટોરેજ બાયોલોજીકલ-ઈ દ્વારા ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરવામાં આવશે. માર્ચ-એપ્રિલના મહિનામાં જ્યારે ભારત કોરોનાની બીજી લહેરના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યો હતો તે સમયે વેક્સિનેશનની નીતિને લઈને કેન્દ્ર સરકારને ખૂબ આલોચનાઓનો સામનો કરવો પડ્યો. જેને જોતા સરકારે આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારને આ કારણથી બહાર મોકલવામાં આવતી વેક્સિનને રોકવી પડી હતી. જેથી ભારતમાં વેક્સિનની અછતને દૂર કરી શકાય.
પહેલા અને બીજા ટ્રાયલમાં સારા પરિણામો જોવા મળ્યા
કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બાયોલોજીકલ-ઈની વેક્સિન હાલ ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. પહેલા ફેઝ 1અને 2માં વેક્સિનના સારી પરિણામ જોવા મળ્યા છે. આવનાર થોડા મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ઓગસ્ટ મહિના બાદ દરરોજે 1 કરોડ લોકોને વેક્સિન લગાવવાનો સરકારનો લક્ષ્ય છે. બાયોલોજીકલ-ઈને કોવિડ-19 માટે વેક્સિન પ્રસાશના રાષ્ટ્રીય નિષ્ણાંતોએ તપાસ બાદ મંજૂરી આપી છે.