કેન્દ્ર સરકારે લોન લેવાવાળાને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટેમાં સોગંદનામું દાખલ કર્યું છે અને કહ્યું કે MSME લોન, શિક્ષણ, ઘર, કન્ઝયૂમર, ઓટો, ક્રેડિડ કાર્ડ બાકી, વ્યવસાયિક અને વપરાશ લોન પર લાગૂ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરી દેવામાં આવશે.
સરકારના સોગંદનામા મુજબ 6 મહીનાના લોન મોરેટોરિયમ સમયમાં બે કરોડ સુધીની લોન પર વ્યાજ પર વ્યાજમાં છૂટ આપશે. કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજની છૂટનું ભાર વહન સરકાર કરે તે એક જ સમાધાન છે. તેની સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે ઉપયુક્ત અનુદાન માટે સંસદમાં મંજૂરી માગવામાં આવશે.
કેન્દ્ર સરકારે પેનલની ભલામણ બાદ વ્યાજ માફ નહી કરવાના પોતાના વલણને બદલી નાંખ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોન લેનારાઓની મદદ કરવાના નિર્દેશ EX CAG રાજીવ મહર્ષની અધ્યક્ષતામાં એક પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે વ્યાજ માફ કરી શકાતા નથી અને આ બેંકોને પ્રભાવિત કરશે.
હવે આ મામલે 5 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું અલગ-અલગ ક્ષેત્રો માટે કેટલીક ઠોસ યોજના લઇને કોર્ટ આવશે. કોર્ટ દ્વારા મામલે વારંવાર ટળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલ લોન ડિફોલ્ટરને NPA જાહેર નહી કરવાનો પણ વચગાળાનો આદેશ જારી રાખવાનો નિર્દેશ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ અને સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ત્રણ જ્જની બેંચ કરી રહી છે.