DRDOના ચેરમેનને લઈને કેન્દ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યાં છે. જેમાં મોદી સરકારે DRDO ચેરમેનનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રની મોદી સરકારે આજે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના ચેરમેન જી. સતીષ રેડ્ડીના કાર્યકાળને વધુ 2 વર્ષ સુધી વધારવાની ભલામણને મંજૂર કરી દીધી છે. તેમનો આ કાર્યકાળ 26 ઓગસ્ટ 2020થી વધુ બે વર્ષ માટે લંબાવાયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 24, 2020
ઉલ્લેખનીય છે કે જી. સતીષ રેડ્ડીની નિમણૂક બે વર્ષ અગાઉ DRDOના ચેરમેનપદે કરાઈ હતી. એ દરમ્યાન DRDOના વડા તરીકેની નિમણૂક કરવામાં વિલંબ થઇ રહ્યો હતો. જેના લીધે રક્ષા સંશોધન મામલે ચિંતાના વાદળો પણ ઉભા થયાં હતાં અને આખરે રેડ્ડીના નામ પર મહોલ વાગી હતી.
જી સતીશ રેડ્ડી મિસાઇલ વૈજ્ઞાનિક
4 જૂન 2015ના રોજ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડોક્ટર જી સતીશ રેડ્ડીએ નિર્મલા સીતારમણ જ્યારે રક્ષાપ્રધાન હતા ત્યારે તેમના 12મા વૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય મિસાઇલ વૈજ્ઞાનિક ડોક્ટર રેડ્ડીએ શીપિંગ અને એરોનોટિકલ ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે રિસર્ચ સેન્ટર ઇમારત (RCI)ના ડાયરેકટર તરીકે અને રક્ષા પરિયોજનાઓ અને કાર્યક્રમોનુ માર્ગદર્શન કર્યુ છે અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના વિકાસ માટે જરૂરી એવી પ્રેરણા આપી છે.
શું હોય છે DRDO?
DRDO ભારતનુ મુખ્ય રક્ષા સંશોધન સંસ્થાન છે. તેનુ વાર્ષિક બજેટ અંદાજે 20000 કરોડ રૂપિયા છે અને તેમાં અંદાજે 8000 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. આ પહેલા મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ DRDO અધ્યક્ષ અને રક્ષા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકારના પદ અલગ અલગ કરી નાખ્યા હતા.