કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે હાઉસ બિલ્ડીંગ એડવાન્સનાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જાણો વિગતવાર
સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે મળશે સસ્તી લોન
સરકારે હાઉસ બિલ્ડીંગ એડવાન્સનાં વ્યાજ દરોમાં કર્યો ઘટાડો
વ્યાજ દર 7.9 ટકાથી થયો 7.1 ટકા
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે હાઉસ બિલ્ડીંગ એડવાન્સનાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. હાઉસ બિલ્ડીંગ એડવાન્સનાં વ્યાજ દરો 7.9 ટકાથી ઘટીને 7.1 ટકા થઇ ગયા છે. સરકારે ઓફિસમાં મેમોરેન્ડમ જાહેર કરી આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે કેંદ્ર બધા જ કેન્દ્રીય કર્મચારીઓને હાઉસ બિલ્ડીંગ એડવાન્સનો ફાયદો આપે છે. કેંદ્ર સરકારે 1 ઓક્ટોબર 2020નાં રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડીંગ એડવાન્સ સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર પોતાના કર્મચારીઓને ઘર બનાવવા માટે સસ્તા દરો પરફંડ આપે છે.
સરકારનાં સ્થાયી કર્મચારીઓ અને 5 વર્ષ સુધી સતત નોકરી કરી ચુકેલા અસ્થાયી કર્મચારીઓને મકાન ખરીદવા માટે લોનનાં રૂપમાં એડવાન્સ રકમ મળે છે. હાઉસ બિલ્ડીંગ એડવાન્સની સુવિધા કેંદ્ર સરકારનાં કર્મચારીઓને મળે છે. HBA હેઠળ સરકારી કર્મચારી પોતાની જમીન પર ઘર બનાવવા માટે એડવાન્સ મેળવી શકે છે. HBA હેઠળ નવા ઘર કે ફ્લેટની ખરીદી માટે પણ એડવાન્સ મળે છે, આ એડવાન્સનો ઉપયોગ હાઉસિંગ લોનનાં ડાઉન પેમેન્ટનાં રૂપમાં કરી શકાય છે.
કેટલું લઇ શકાય છે એડવાન્સ?
કેંદ્ર સરકારનાં કર્મચારીઓનાં હાઉસ બિલ્ડીંગ એડવાન્સ પર વ્યાજ દર 7.10 ટકા હશે. આ ઘટાડો 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2023 એટલે કે 12 મહિનાઓ માટે રહેશે. કેંદ્ર સરકારના કર્મચારીઓ નવું ઘર બનાવવા માટે 34 મહિનાનાં મૂળ વેતન, વધારેમાં વધારે 25 લાખ રૂપિયા કે ઘરની કિંમત કે એડવાન્સ ચૂકવવાની ક્ષમતામાંથી જે પણ ઓછું હોય, એટલી રકમનું એડવાન્સ લઇ શકે છે. એડવાન્સ લેવામાં આવેલી રકમ પ્રિન્સિપલના રૂપથી 180 મહિનાઓ સુધીમાં વસૂલવામાં આવશે. બાકી 5 વર્ષ કે 60 મહિનામાં આ વ્યાજ દર તરીકે EMIમાં વસૂલવામાં આવશે.
શું છે શરતો?
આ એડવાન્સ લેવા માટે અમુક શરતો છે. ઘરનું નિર્માણ પોતાની જમીન પર જરૂરી છે. જો તમે ઘરનો વિસ્તાર કરવા માંગો છો, તો પણ એડવાન્સનો ઉપયોગ કરી શકાય છે. આનો ફાયદો માત્ર પરમનન્ટ એમ્પ્લોયીને જ મળશે. જો કોઈ ટેમ્પરરી એમ્પ્લોયીએ સતત 5 વર્ષથી વધારે કામ કર્યું છે તો પણ તેને હાઉસ બિલ્ડીંગ એડવાન્સનો ફાયદો મળશે.
સરકારે કર્મચારીઓ માટે DA અને પેન્શનર્સ માટે DR વધારી દીધું છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ તથા ડીઆરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને તેમની કમાણી સાથે 34 ટકાનાં હિસાબે ડીએ મળશે.