કેન્દ્ર સરકાર દ્વારા વેન્ટિલેટર મુદ્દે ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ભારતને ફાળવેલા વેન્ટિલેટરમાંથી એક પણ વેન્ટિલેટર ગુજરાતને ફાળવવામાં નથી આવ્યું. અમેરિકાએ 200 જેટલા વેન્ટિલેટર ભારત મોકલાવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા વેન્ટિલેટર મુદ્દે ગુજરાતને અન્યાય
અમેરિકાએ ફાળવેલા વેન્ટિલેટર ગુજરાતને એક પણ નહીં
અમેરિકા દ્વારા 200 વેન્ટિલેટર ભારતને ફાળવામાં આવ્યા
કેન્દ્ર સરકાર દ્વારા વેન્ટિલેટર મુદ્દે ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ભારતને ફાળવેલા વેન્ટિલેટરમાંથી એક પણ વેન્ટિલેટર ગુજરાતને ફાળવવામાં નથી આવ્યું. અમેરિકાએ 200 જેટલા વેન્ટિલેટર ભારત મોકલાવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સિવાયના અન્ય રાજ્યમાં તમામ વેન્ટિલેટર મોકલાવાયા છે. ગુજરાતમાં કોરોના બેકાબૂ હોવા છતાં એકપણ વેન્ટિલેરની ફાળવણી નથી કરવામાં આવી. આ મામલે કોંગ્રેસને ફાવતું મળ્યું છે અને તે આક્ષેપ કરી રહી છે કે, આ કેન્દ્ર સરકારની ગુજરાતને લપડાક છે. વેન્ટિલેટર નહિ ફાળવી મોદી સરકારે ગુજરાતને અન્યાય કર્યો છે. વધતા જતા સંક્રમણમાં ગુજરાતને વેન્ટિલેટરની જરૂર છતાં પણ અન્યાય કેમ તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1364 નવા કેસ સાથે કુલ આંક 1,17,709 પર પહોંચ્યો છે. તો આજે 1,447 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 12 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,23,653 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16294 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા