કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ફરીથી જૂના નિયમ સાથે પાછું આવ્યું છે. આગામી વર્ષથી 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા હવે એક વાર જ થશે.
CBSEએ નિયમ બદલ્યો
બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર જ યોજાશે
કોરોના કાળમાં આ નિયમ બદલ્યો હતો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ફરીથી જૂના નિયમ સાથે પાછું આવ્યું છે. આગામી વર્ષથી 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા હવે એક વાર જ થશે. તેને લઈને બોર્ડે નવા અને દશમાં તથા 11 અને 12માં ધોરણની એક્ઝામ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે.
આવી હશે નવી શિક્ષણ નીતિ, 40 ટકા સવાલો આવા હશે
નવી શિક્ષણ નીતિ અંતર્ગત બદલાયેલી એક્ઝામ સિસ્ટમમાં 10માં 40 ટકા સવાલો સમજ પર આધારિત હશે, તેનાથી બાળકોને ગોખવાની પ્રવૃતિ બંધ થશે. તેમાં કેસ આધારિત સવાલો હશે, આ ઉપરાંત 20 ટકા સવાલો ઓબઝેક્ટિવ હશે, 40 ટકા સવાલો ટૂંકમાં જવાબ આપવાના રહેશે.
ગોખણપટ્ટી નહીં ચાલે, સમજી વિચારીને આપવાના રહેશે જવાબો
આવી જ રીતે બારમા ધોરણની પરીક્ષામાં આવતા સવાલોમાં જે ફેરફાર કર્યો છે, તેમાં 50 ટકા પ્રશ્નો શોર્ટ આંસર આપવાના રહેશે. જ્યારે 30 ટકા સવાલો સમજ આધારિત અને 20 ટકા સવાલો ઓબ્ઝેક્ટિવ રહેશે. સીબીએસઈ સ્કૂલના શિક્ષકોનું માનીએ તો, વિદ્યાર્થીઓની ગોખણપટ્ટી તેનાથી છૂટી જશે. હવે તેમને સમજી વિચારીને જવાબ આપવાના રહેશે. ત્યારે જ તેઓ સવાલોના જવાબ આપી શકશે. બોર્ડે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, હાઈસ્કૂલ તથા ઈંટરની આંતરિક પરીક્ષા સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે રીતે સ્કૂલ પહેલા આંતરિક પરીક્ષા લેતા હતા, તેવી જ રીતે પરીક્ષા લઈ શકશે.