રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં આંશિક ઘટાડા સાથે જ ડેંગ્યુ, મેલેરિયા,ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથું ઉંચકયું છે.
સૌરાષ્ટ્રના પાટનગરમાં વકરતો રોગચાળો
રાજકોટમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો
ઓગસ્ટ કરતા વધ્યાં સપ્ટેમ્બરમાં કેસ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રોગચાળો ગંભીર રીતે વકર્યો છે.એક તો પાછોતરો વરસાદ અને ઋતુગત બીમારીઓએ માથું ઊંચક્યું છે.પરિણામે,પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કારને
ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે.તો ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થતા શહેરીજનોમાં પણ એક ફફડાટ વ્યાપી ગયો છે. પરિણામે,સિવિલ હોસ્પીટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે.
ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસ
રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં આંશિક ઘટાડા સાથે જ ડેંગ્યુ, મેલેરિયા,ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથું ઉંચકી લીધું છે.એક સમય એવો હતો જ્યારે સિવિલમાં માત્ર કોરોના દર્દીઓના પરિવારજનો જ જોવા મળતા હતા પરંતુ તેમાં ફેરફાર થયો છે અને હવે ડેંગ્યુ, મેલેરિયા, તાવ-શરદી-ઉધરસ સહિતના રોગચાળાના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. રાજકોટ ઋતુજન્ય રોગચાળાનો પગ પેસારો થતા જોવા મળ્યો હતો. કોર્પોરેશને ફોગિંગ કરતાં બે મેડિકલ છાત્રોને ડેંગ્યુ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જામટાવર પાસે આવેલી તબીબી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ડેંગ્યુનો પગપેસારો જોવા મળ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં OPD માટે દર્દીઓની લાંબી કતારો લાગી હતી.
વધતા કેસથી ચિંતા
ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ ગણા કેસ વધ્યા હોવાનું સામે આવ્યું હતું.ઓગસ્ટ મહીનામાં સામાન્ય તાવના 29 હજાર કરતા વધુ કેસ નોંધાયા હતા.સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમા સામાન્ય તાવના 4000 જેટલાં કેસ નોંધાયા હતા.ત્યારે હાલ સુધીમાં કુલ 66 મેલરીયાના કેસ નોંધાયા હતા.ડેન્ગ્યુના સપ્ટેમ્બર મહિના સુધીમાં 7 કેસ નોંધાયા હતા. ત્યારે તંત્રના ચોપડે ચિકનગુનિયાના માત્ર 6 જ કેસ સામે આવ્યા હતા. સામન્ય શરદી ઉધરસના કેસ માત્ર એક અઠવાડિયામાં 923 કેસ નોંધાયા હતા.
તકેદારી નહિ,તો મુશ્કેલી વધશે
મચ્છરોનો ઉપદ્રવ પણ રાજકોટમાં બહુ છે ત્યારે, હવે મહાનગર પાલિકા-રાજકોટ પણ પાણીજન્ય અને ઋતુગત બીમારી સામે કમર કસી રહી છે.વિવિધ વિસ્તારોમાં સર્વેથી માંડીને નાગરિકોને પાણી એકત્રિત ના કરવા કે વાસી કે બહારનો ખોરાક નાં ખાવા પર સૂચિત કરાઈ રહ્યા છે. જો રોગચાળો કાબુમાં નહિ આવે,અને નાગરીકો તકેદારી નહિ રાખે તો સપ્ટેમ્બર કરતા ઓક્ટોબર રાજકોટ વાસીઓના સ્વાસ્થ્ય માટે વધારે મોંધો સાબિત થઇ શકે છે.