ઘણાં લોકોના હાથ-પગ વારંવાર સુન્ન થઈ જતાં હોય છે. આમ તો આ એક સામાન્ય સમસ્યા છે પણ જો લાંબા સમય સુધી હાથ-પગ સુન્ન રહે તો સોજો આવવાનું શરૂ થઈ જાય છે. હકીકતમાં જ્યારે હાથ-પગ બાહ્ય મોસમના સંપર્કમાં આવે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવા લાગે છે. ઘટતાં બ્લડ સર્ક્યુલેશનને કારણે લોહી જામવા લાગે છે અને તેના કારણે હાથ-પગ સુન્ન થવા લાગે છે. જેનાથી વસ્તુઓ પકડવાની ક્ષમતા ઓછી થવાની સાથે કામ કરવામાં પણ અસમર્થતા અનુભવાય છે. આવું ઠંડા પાણીમાં કામ કરવાથી પણ થાય છે.
કેમ હાથ-પગ થઈ જાય છે સુન્ન?
હાથ-પગ સુન્ન થઈ જવા પર ઝણઝણાટી, દુખાવો, નબળાઈ, ખેંચાણ જેવા લક્ષણો દેખાય છે. આવું શરદી, થાક, સ્નાયુ દબાવાથી, શરીરમાં વિટામિન્સ અને મેગ્નેશિયમની કમીને કારણે પણ થઈ શકે છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે ત્યારે પણ શરીરના અંગો સુધી ઓક્સીજન પ્રોપરલી પહોંચી શકતું નથી, તેનાથી પણ આ સમસ્યા થાય છે.
સરળ ઘરેલૂ ઉપાયો
ગરમ પાણીથી શેક કરો
હાથ-પગને સુન્ન થતાં રોકવા માટે હોટ વોટર બેગથી શેક કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્નાયુઓ પણ રિલેક્સ થશે. પગમાં મોઝા અને હાથમાં હેન્ડગ્લોવ્સ પહેરો. થોડીવાર માટે પગને ગરમ પાણીમાં ડુબોડીને રાખો. તેનાથી પણ આરામ મળશે.
મસાજ કરો
હાથ-પગ સુન્ન થઈ જાય તો સરસિયાના તેલને ગરમ કરીને હાથ અને પગમાં મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને ગરમાવો પણ આવશે. આવું રોજ કરવાથી આ સમસ્યા દૂર થઈ જશે.
હળદર
ડેઈલી ડાયટમાં હળદરને સામેલ કરો. તે એક નેચરલ એન્ટીઓક્સીડેન્ટ છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 નાની ચમચી હળદર પાઉડર મિક્સ કરીને પીવો. તેનાથી બહુ જ ફાયદો થશે.
એક્સરસાઈઝ કરો
રોજ 30 મિનિટ એક્સરસાઈઝ કરો. તેનાથી શરીરમાં ઓક્સીજનની માત્રા વધવા લાગે છે. યોગ અને એરોબિક્સ પણ આ સમસ્યામાં લાભકારી છે. તેનાથી ધીરે-ધીરે આ સમસ્યા દૂર થવા લગાશે.
વિટામિન બીથી ભરપૂર ખોરાક ખાઓ
તમારી ડાયટમાં વિટામિન બી, 6, 12ને અવશ્ય સામેલ કરો. તેના માટે દૂધ, ઈંડા, મીટ, કેળા, બીન્સ, ફિશ, દહીં, ડ્રાય ફ્રૂટ્સ, શાકભાજી અને ફળો ખાઓ.