રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે, જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકના ઘટના સ્થળે જ મોત થયા છે.
વલસાડના ગુંદલાવ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર એક કારને ગમખ્વાર અકસ્માત નડતા કારમાં સવાર 3 લોકોનાં મોત થયા છે. કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામે છેડે જઈ બસ સાથે ટકરાઈ હતી. સામેથી આવતી લક્ઝરી બસ સાથે કાર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો અને ત્રણ લોકોનાં મોત થયા છે.
તો અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક સર્જાતા થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.