ભારતીય ટીમને સિરીઝ પહેલા ટી20માં ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાક કેપ્ટન કોહલીનું ચોંકાવનારુ નિવેદન પણ સામે આવ્યુ હતુ.
કેપ્ટન કોહલીનું ચોંકાવનારુ નિવેદન
ઇંગ્લેન્ડ સામે ભારતે કર્યો હારનો સામનો
અમદાવાદની પીચ વિશે કોહલીએ કહી મોટી વાત
અમદાવારના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 8 વિકેટથી મળેલી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ પીચ પર કેવી રીતે રમવુ તેનો અમને કોઇ ખ્યાલ જ નહોતો.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે કહ્યું હતુ. ભારતમાં શ્રેયસ ઐયરે અર્ધશતકની મદદથી સાત વિકેટ પર 124 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે આ લક્ષ્ય ખુબ જ આરામથી મેળવી લીધુ હતુ. 15.3 ઓવરમાં 2 વિકેટ પર 130 રન બનાવી લીધા હતા. સાથે જ સિરીઝમાં 1-0નો સ્કોર કર્યો હતો.
વિરાટ કોહલી, લોકેશ રાહુલ, ઓપનર શીખર ધવને ખુબ ખરાબ પ્રદર્શન કર્યુ અને તેના કારણે ભારતીય કેપ્ટને ચિંતા જતાવી હતી. મેચ બાદ કોહલીએ કહ્યું કે અમને પિચ પર શું કરવુ તેના વિશે કોઇ જ જાણકારી હતી નહી. અમે પોતાના જ શોટ્સ સારી રીતે ન રમી શક્યા અને બીજુ પણ ઘણુ છે જેનુ સમાધાન અમારે કાઢવુ પડશે.
ભારતીય કેપ્ટને કહ્યું કે ભૂલોને એક્સેપ્ટ કરીને ખુબ જોશથી વાપસી કરીશું. જે પ્રકારના શોટ રમવા માંગીએ છીએ તેના પર ફોકસ કરીશું.
સુંદર અને બેયરસ્ટો વચ્ચે ઝઘડો
ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઇંગ્લિશ બેટ્સમેન જોની બેયરસ્ટો અને ભારતીય બોલર વોશિંગટન સુંદર વચ્ચે બોલચાલ થઇ ગઇ હતી. વાત ત્યાં સુધી વણસી ગઇ કે એમ્પાયરને વચ્ચે આવવુ પડ્યુ. જો કે વીડિયો જોયા બાદ એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે સુંદરની તેમાં કોઇ ભૂલ ન હતી.
આ ઘટના 14મી ઓવરમાં ઘટી હતી. તે સમયે ડેવિડ મલાન બેટિંગ કરી રહ્યો હતો. મલાને સુંદરના બોલ પર સીધો શોટ માર્યો હતો અને બોલ નોન સ્ટ્રાઇકર બેયરસ્ટો તરફ ગઇ. બોલ હવામાં હતો જેથી સુંદરે તેને કેચ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનાથી કેચ થયો નહી અને બોલ બેયરસ્ટોના હેલ્મેટ પર વાગ્યો. જે બાદ બેયરસ્ટો ગુસ્સાથી સુંદરને જોવા લાગ્યો અને એમ્પાયરે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ મેચમાં ભારતીય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. ભારતની ટીમે પહેલા બેટિંગ લીધી અને 124 રન જ બનાવી શક્યા. ભારત તરફથી સૌથી વધારે રન શ્રેયસ અય્યરે જ બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે મેચ 125 રન બનાવીને માત્ર 2 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી.